SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો [ ૨૭ જવાબ –સૂમ વનસ્પતિમાં પર્યાપ્ત અને અપર્યાપ્તના એક-એક ઔદારિક શરીરમાં અનન્ત-અનન્ત જીવ છે, આટલા માટે દસમાંથી આ બે તે સાધારણ છે અને બાકીના ૮ પ્રત્યેક છે. પ્રશ્ન ૭૭૩ –“જેવું ખાય અન્ન, તેવું રહે મન, જેવું પીએ પાણી, એવી બોલે વાણું–શું આ વાત પંચ મહાવ્રતધારીને લાગુ થઈ શકે છે? જવાબ:-ન્યાય અને અન્યાયથી પેદા કરેલા ધનથી જે અન્ન વગેરે બન્યું હોય, તેને પ્રભાવ મહાવ્રતધારીઓ ઉપર નથી પડતું, પરંતુ મુનિ-કલ્પ અનુસાર શુદ્ધ અને અશુદ્ધ આહાર પાણી વગેરેને પ્રભાવ તે મુનિઓ ઉપર જરૂર થાય છે. પ્રશ્ન ૭૭૪–જ્યારે શાસ્ત્ર લખાયા ત્યારે પૂર્વનું જ્ઞાન હતું ? શું એક પૂર્વના જ્ઞાન વાળાઓએ જ શાસ્ત્ર લખ્યાં છે, કે પરંપરાથી સાંભળેલું યાદ રાખીને લખાયાં છે? જવાબ:—શાસ લખવામાં આવ્યાં ત્યાં સુધી એક પૂર્વનું જ્ઞાન હતું. એક પૂર્વનાં જ્ઞાનવાળાની દેખરેખમાં શાસ્ત્ર લખાયાં હતાં. એક પૂર્વનું જ્ઞાન જે હતું, તે તેમની ગુરુ પરંપરાથી ચાલ્યું આવ્યું હતું અને શીખેલું હતું. તેના જ બળ ઉપર તેમણે સૂત્રે લખ્યાં અને લખાવ્યા હતાં. પ્રશ્ન ૭૭૫–શ્રી સૂયગડાંગ સૂવના બીજા શ્રુતસ્કન્ધનાં પાંચમા અધ્યયનની ૮-૯ગાથામાં લખ્યું છે કે કેઈ સાધુ આધાકમી આહાર ભેગવે, તે તેને પાપથી લિપ્ત પણ ન કહેવા અને પાપથી અલિપ્ત પણ ન કહેવા, કેમકે આધાકમી આહારને પણ કારણસર કે અજાણપણામાં ભેગવવાથી કર્મ નથી બંધાતાં. એટલા માટે એકાંત વચન ન બોલવા.આથી બતાવશો કે ક્યા કારણથી સાધુ આધાકમી આહાર ભેગવી શકે છે અને ભેગવવાથી પાપ લાગવાનું પણ ન કહેવું ! પાપ ન લાગવાનું પણ ન કહેવું, તે પછી શું કહેવું? જેવી રીતે આધાકમી આહારના વિષયમાં એકાત શબ્દ ન કહે, તે જ રીતે, બધા અનાચાર સમજી શકાય છે? જો નહિ, તે કયા આધાર ઉપર ઠીક સમજવું ? બાવન અનાચારમાં ક્યા અનાચાર કારણસર સાધુ કામમાં લઈ શકે છે અને ક્યા નહિ? જવાબ –તે ગાથાઓને ફલિત અર્થ આ પ્રમાણે સમજવો જોઈએ. મુનિ પિતાના તરફથી પૂર્ણ સાવધાનીની સાથે ગવેષણ (તપાસ) કરતાં હોવા છતાં પણ કોઈ ગૃહસ્થ, કપટ કે પ્રપંચથી આધાકમી વસ્તુ દઈ દે અને મુનિ તેને અંતઃકરણથી શુદ્ધ જાણીને કામમાં લઈ લે છે તે આધાકમ વસ્તુ તેની વિશુદ્ધ ગષણને (તપાસ) સ, ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy