SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો [ ૧૮૭ ૨ સૂત્ર ૪૧૭) “છહીં ઠાણેહિં નિગ્રંથ નિર્ગેથી ય સાહસ્મિત કાલગત સમાન થરમાણ ઈકમઈ તું જહા....(ઠા. ૬ સૂત્ર ૪૭૭) તેમ જ વ્યવહાર સૂત્રના સાતમા ઉદેશામાં પણ કારણવશ થોડા સમય સુધી સાધુ સાધ્વી સાથે રહી શકે છે, એવું વર્ણન છે. વિકટ સમયમાં પણ સાધ્વી, સાધુની નિશ્રામાં (રક્ષણ નીચે) બેઠી બેઠી સ્વાધ્યાય કરી શકે છે તથા પિતાની અસઝાઈમાં સ્વાધ્યાયની મના હોવા છતાં પણ પરસ્પર વાચના (વાંચન) દઈ લઈ શકે છે. બૃહત્કલ્પના છઠ્ઠા ઉદેશામાં કારણસર પરસ્પર કાંટો વગેરે કાઢવાનું પણ વર્ણન છે. ઈત્યાદિ બીજી પણ જગ્યાએ બેસવાનું વર્ણન કર્યું છે, તે પછી સમવસરણમાં બેસવાની મના વીતરાગ કેવી રીતે કરે ? બ્રહ્મચર્યની રક્ષાને માટે શાસ્ત્રોમાં જે પરસ્પર બેસવાની મના કરી છે, તે તે બન્નેને માટે સરખી છે. પરંતુ સમવસરણ વગેરેના પ્રસંગે શાસ્ત્ર કહેલા અનુકૂળ સમયમાં જનતાની હાજરીમાં બેસવાની મના, જાણી નથી. પ્રશ્ન ૨૮૨–૫૬ અંતરદ્વીપમાં ઉત્પન્ન થવા વાળા બધા તિય"ચ મરીને દેવલોકમાં જ જાય છે, કે અન્ય ગતિમાં પણ જાય છે? જવાબઃ–પ૬ અંતરમાં ઉત્પન્ન થવા વાળા તિર્યંચ મરીને ચારે ય ગતિમાં જઈ શકે છે, કેમ કે તિર્યમાં તે યુગલિયા માત્ર સ્થળચર અને ખેચરમાં જ થાય છે, બીજાઓમાં નહિ. એટલા માટે યુગલિયાના સિવાય બીજા તિર્યંચ પણ ઘણું છે. તેઓ ચારે ગતિમાં જઈ શકે છે. પ્રશ્ન ૬૮૩–સૂર્યનું જે “ સહસ્ત્રાંશુ” નામ દીધું છે, તેના સહસ્રો કિરણે છે. એક કિરણનાં આકાર પ્રકાર કેટલા છે, એક કિરણનાં પ્રકાશને વિસ્તાર કેટલે છે? કેમ કે પ્રાચીન કાળથી એવું કહેતા આવી રહ્યા છે કે તેના હજારે કિરણે છે અથવા તેના હજાર કિરણે છે, સહસ્ત્રાંશુને ભાવાર્થ આ જ જેવા સાંભળવામાં આવ્યો છે કે તે હજાર કિરણે રાખે છે. આજને મનુષ્ય વૈજ્ઞાનિક રૂપથી સમજવા માગે છે, પણ સમાધાન આજ સુધી કેઇએ નથી કર્યું? જવાબ-કિરણ શબ્દની વ્યુત્પતિ આ પ્રકારે છે “કીતે પરિતઃ ઇતિ કિરણઃ ” જે વિસ્તૃત થાય છે, તે જ કિરણ છે. સૂર્યને જે પ્રકાશ રેખાના રૂપમાં પ્રગટ થાય છે, તેને કિરણ કહેવાય છે. જે રીતે પ્રકાશમાન હીરા વગેરેથી પ્રકાશમાન તેજ-પુંજ, રેખા રૂપથી નીકળે છે, તે જ રીતે સૂર્ય વિમાનથી પણ જે જુદી જુદી પ્રકાશની રેખાઓ નીકળે છે, તેને “ કિરણ” કહે છે. ભાગવતી વગેરે સૂત્રમાં સૂર્યને “સહસ્રરશ્મિ” (સહસ્સ મિ) કહ્યું છે. એટલા માટે આ સ્પષ્ટ છે કે તેનાં એક હજાર કિરણે હોય છે. આ શબ્દની વ્યુત્પતિથી પણ આ જ સ્પષ્ટ છે- “સહસ્ર રમયઃ યસ્ય સઃ સહસ રમિઃ (સૂર્ય)! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy