SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ-સમાધાન અને આ અર્થ માનવાથી રાણીઓને માટે જે આગળ “ઉઠ્ઠાએ ઉોઈ પાઠ આવ્યું છે, તેનાથી પણ મેળ બરાબર બેસી જાય છે. હજી સુધી ઉર્ધ્વને અર્થ ઊભા રહેવું પણ થાય છે, પરંતુ તે રાણુંઓના “ઉએ ઉઠે પાઠથી મેળ નથી ખાતો. શ્રી મલ્લીનાથ પ્રભુની તે આત્યંતર પરિષદ સાધ્વીઓની જ હતી, એ સૂત્રમાં ઉલ્લેખ છે, તે સાવીઓ હંમેશા, સૂવાનું, બેસવું, ખાવું, પીવું વગેરે પ્રભુની પાસે જ કરતી હતી અને તેમની વૈયાવૃત્ય. પણ સાદ્ધિઓ જ કરતી હતી. જે વિતરાગનાં સમાવેશરણમાં સ્ત્રીઓને બેસવાની મના હેત, તે આ વાત કેવી રીતે સંભવિત થાત ? બેસવાની મનાઈ ન હોવાથી જ વિશેષવૃદ્ધ સ્ત્રીઓ, પગથી અપંગ, તેમ જ ઉરપશિ સર્ષ અને ભુજપરિસર્પ વગેરેની અનેક સ્ત્રીઓ સેવા તથા શ્રવણને લાભ લઈ શકે છે, બીજી રીતે નહિ. સાધ્વી, વીતરાગની વાણી (અગ્યાર અંગ વગેરેને મેઢે કરીને) બેઠી બેઠી તેને સ્વાધ્યાય કરે છે, તે પછી બેસીને સાંભળવામાં વધે જ શું હોઈ શકે છે? શ્રુતજ્ઞાનને માટે સ્ત્રીઓમાં દષ્ટિવાદ શીખવાને પશમ નથી હેતે, આ કારણથી દષ્ટિવાદ તેમને માટે નથી બતાવવામાં આવ્યું, પરંતુ શાસ્ત્રકાર સ્ત્રીઓને દષ્ટિવાદ શીખવા-શીખવવાની મન નથી કરતા. જે પક્ષપાતની દષ્ટિથી જ તેમને માટે દષ્ટિવાદની રુકાવટ બતાવી હોત, તે તેમને માટે અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન થવાનું તે બતાવત જ કેવી રીતે ? શાસ્ત્રકારોની સંપૂર્ણ નિષ્પક્ષ દૃષ્ટિ છે. આથી જ સ્ત્રીનું સાતમી નરકમાં જવાનું વર્જિત બતાવ્યું છે. પરંતુ પુરુષે જાય છે અને મોક્ષને માટે બન્નેની સમાનતા છે. - સ્ત્રીઓની તે શું, શાસ્ત્રકાર તે તિર્યંચ વગેરે કેઈની પણ મહત્તા નથી છુપાવતા, દાખલા તરીકે અંતર્મુહૂર્તના તિર્યંચ આઠમા સ્વર્ગમાં જઈ શકે છે, પરંતુ મનુષ્ય (વિના પ્રત્યેક વર્ષના) નથી જતા પૃથ્વી, અપ અને વનસ્પતિમાંથી નીકળીને મનુષ્ય થઈને કેવળી થઈ શકે છે. પરંતુ સાતમી નરકના તથા યુગલિક મરીને સીધા મનુષ્ય પણ નથી થઈ શકતા. તથા વિકસેન્દ્રિયથી આવેલા મનુષ્ય થવા છતાં પણ કેવળી નથી થઈ શકતા. આટલા માટે જ્યાં જેની જેવી સ્થિતિ, સ્વભાવ વગેરે હોય છે. શાસ્ત્રકાર ત્યાં તેવું જ ફરમાવે છે, ઈત્યાદિ અનેક પ્રમાણેથી તેમની નિષ્પક્ષતા સાબિત છે. ધર્મ ઉપદેશ સાંભળવાને માટે બેસવાને રિવાજ ન નથી, કેમ કે ધર્મ ઉપદેશ સિવાય પણ કેટલાય કારણથી સાધુ અને સાધ્વીને ભેગા બેસવાને અધિકાર બતાવ્યું છે. જેવી રીતે “પંચહિં ઠાણહિં નિર્ગાથા નિર્ગેથી ય એગત્તઓ ઠાણે વા સિજજ વા નિસહિય વ ચેતેમણે ઈકમઈ જહા....પંચહિ ઠાણેહિ સમણે નિર્ગથે અલએ સલિયાહિં નિર્ગથીહિં સદ્ધિ સંવસમાણે નાઈકમઈ ત જહા....(સ્થાનાંગ ઠા. ૫ ઉ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy