SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ] સમર્થ–સમાધાને આજ્ઞાથી સંપૂર્ણ મનાઈ કરે છે. આ કારણથી બન્ને પ્રવૃત્તિઓને રોકીને પ્રભુ આજ્ઞા પ્રમાણે કર્મના ક્ષયને માટે જ તપ કરવું જોઈએ. કર્મ હટવાથી જરૂર સુખ થાય છે. અને આ જ ઉચિત છે. પ્રશ્ન ૬૭૨ -ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિ, આ બન્ને સૂત્રોના પાઠ શું સરખા છે? જે સરખા છે તે શા માટે? જવાબ —ચન્દ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રાપ્તિ–આ બન્ને સૂત્રે છઠ્ઠા અંગના ઉપઅંગ માન્યા છે. અત્યારે આ બન્ને સૂત્રનાં પાઠ ડાક લેકો સિવાય લગભગ સરખા છે. આ સૂત્રની ટીકા કરવાવાળા આચાર્ય મલયગિરિ છે. તેઓ પિતે કહે છે, કે- સૂર્યપ્રજ્ઞપ્તિની નિર્યુક્તિ, પહેલા ભદ્રબાહસ્વામી દ્વારા કરાવી. કાળ પ્રભાવથી આ પ્રાપ્ત નથી. આટલા માટે હું કેવળ સૂત્રની વ્યાખ્યા કરીશ. આ બન્ને સૂત્રના પાઠ લગભગ સરખા જ કેમ છે તેના અનુમાનમાં કેટલાય વિચારો પેદા થઈ શકે છે. જેમકે સૂર્યપ્રજ્ઞપ્તિની બે નકલે પડી હેય, તેમાંથી એક નકલમાં એકાદ પાનું ચન્દ્ર પ્રજ્ઞપ્તિનું સામેલ થઈ ગયું હેય, તે પાનાને જોઈને સૂર્ય પ્રજ્ઞપ્તિ ઉપર જ ચન્દ્રપ્રાપ્તિ નામ લખાવી દીધું હોય, પછી નકલે થઈને પ્રચલિત થઈ ગઈ હોય. અથવા શાસ્ત્ર, લિપિ–બદ્ધ કરતી વખતે આ બને સૂત્રોને જુદા જુદા સાધુ, લિપિબદ્ધ કાવતા, એક તરફ એક સૂત્રને, બીજી તરફ બીજા સૂત્રને બદલે ભ્રમથી તે જ સૂત્રને લિપિબદ્ધ કરાવી લીધું હોય, કે દીક (ઉધઈ) વગેરે પાનાંને ખાઈ જવાથી બીજા સૂત્રનાં ભ્રમથી બીજાનું જ નામ લગાવી દીધું હેય. ઈત્યાદિ અનેક શંકાઓ ઊભી થઈ શકે છે. આનું ખાસ કારણ તે વિશેષજ્ઞ અને સર્વજ્ઞ જ જાણે. પ્રશ્ન દ૭૩ –યુવક અને રૂપુષ્ટ મનુષ્ય, સ્વસ્થ દશામાં સંથારો માગે, તે સાધુ તેને સંથારે કરાવે કે નહિ? જવાબ –વિશેષ જ્ઞાની તે જ્ઞાનમાં જેવું ગ્ય સમજે તેવું કરે, પરંતુ સામાન્ય સાધુએ તે આવી સ્વસ્થ હાલતના મનુષ્યને કઈ વિશેષ કારણ સમજ્યા વિના, આગ્રહપૂર્વક માગવા છતાં પણ સંથારે ન કરાવવું જોઈએ. જે સંથાર કરનાર કે કરાવવાવાળાને કેઈ કારણને વશ તે વિષયને કેઈ વિશેષ અનુભવ થયે હાય તથા કેઈ દેવ વગેરેની સ્પષ્ટ વિશ્વાસકારક મદદ મલી હોય અને જનતામાં અવિશ્વાસનું કારણ ન હોય, ઈત્યાદિ કેઈ વિશેષ કારણ ઠીક રીતે સમજવામાં આવવાથી કરાવે, તે તે વાત નિરાળી છે, અન્યથા નહિ. પ્રશ્ન ૬૭૪–બિમાર હાલતમાં મનુષ્ય ખૂબ જ દુખે જોઈને સંથારો કરી લે, પરંતુ પાછળથી હાલત સુધરવાથી ખાવા પીવાનું માગે, તે શું કરવું જોઈએ? જવાબ:–જીવ, શરીર, આહાર, ભૂખ, કર્મ, પ્રત્યાખ્યાન વગેરેનાં સ્વરૂપને વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy