SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૧૭૯ પ્રશ્ન દ૬૦-પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ ક્યા પ્રકારે છે? જવાબ –મેરુ પર્વતની પૂર્વની બાજુએ ૧૬ વિજ્ય, પૂર્વ મહાવિદેહની છે અને પશ્ચિમ તરફની ૧૬ વિજય, પશ્ચિમ મહાવિદેહની છે. પ્રશ્ન દ૬૧ –તંદુલમચ્છ ગર્ભ જ છે કે સમૂર્ણિમ? જવાબ:–“નંદુલ” નામ ચોખાનું છે. જે મચ્છની થાવલ જેટલી અવગાહના હોય અને તે જ આકારનાં હોય, તેને “નંદુલમછ” કહે છે. તે સંજ્ઞી અસંજ્ઞી બન્ને પ્રકારનાં હોઈ શકે છે. પરંતુ પહેલી નરકથી આગળનાં નરકમાં જાવાવાળા એકાન્ત સંસી જ હોય છે. પ્રશ્ન દદર – જૈનધર્મનું મૂળ શું છે અને તેનાં લક્ષણે કયાં છે? જવાબ જિન આજ્ઞા પ્રમાણે મહાવ્રત અને અણુવ્રતોનું પાલન જૈન ધર્મનું મૂળ છે અને સમ્યગદર્શન અને જ્ઞાન જૈન ધર્મનાં લક્ષણ છે. પ્રશ્ન દ૬૩–સંપ્રદાય કેવી રીતે શરૂ થયા અને સંપ્રદાય કેમ કહેવાયા? જવાબ:–દૂર દૂર વિચરવાને કારણે અધિક સાધુ સાધ્વીઓની એક આચાર્યથી સંભાળ ન લઈ શકવાને કારણે તથા આચરણ (સમાચારી) ભેદનાં કારણે-ઈત્યાદિ કારણેથી સંપ્રદાયે ચાલુ થયા. ૨૨ મુખ્ય પ્રભાવકારી પુરુષો મધ્યકાળમાં (થડા કાળ પહેલાં) થયા, તેઓ જુદા જુદા પ્રાંતમાં વિચારીને લોકમાં ધર્મની ભાવના ભરતા-જાગ્રત કરતા હતા. આ કારણથી તે ૨૨ પુરુષનાં નામથી ૨૨ સંપ્રદાય કહેવાય છે. પ્રશ્ન દ૬૪ –ગ્રહણ કેને કહે છે? જવાબ:–ચન્દ્ર તથા સૂર્યનાં વિમાનની અને મનુષ્યની વચ્ચમાં રાહનાં વિમાન આવવાથી ગ્રહણ થાય છે. એટલે કે પૂર્વ શહૂનાં વિમાન અહીં તહીં જતાં ચન્દ્ર સૂર્યના વિમાનની નીચે આવવાથી એવા આવૃત રૂપ દેખાય તેને ગ્રહણ” કહે છે. પ્રશ્ન દદપ –ગાથાપતિ, કૌટુમ્બી અને સાર્થવાહ કેને કહે છે? જવાબ –ગાહાવઈગૃહપતિ (ઘરધણી) અને માંડલિક રાજાને “ગાહાવઈ' કહે છે. કૌટુમ્બિક-કુટુમ્બના સ્વામીને “કૌટુમ્બિક” કહે છે. સાથેનાયકને “સાર્થવાહ” કહે છે. સાર્થવાહના લક્ષણ આ પ્રકારે બતાવ્યા છે-જેને રાજાનું બહુમાન હોય, જે લેકમાં પ્રસિદ્ધ હેય, ગરીબોને નાથ હોય અને પ્રવાસમાં જતાં, રસ્તામાં પ્રેમ કરવાવાળા હોય, તેને “સાર્થવાહ” કહે છે. પ્રશ્ન કદ –બદામના ગેટા સચિત્ત છે કે અચિત્ત? જવાબ –બદામના અખંડ ગોટા (મજજા) સચિત્ત માનવામાં આવે છે અને સચિત્ત હેવાને જ સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy