SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA ૧૭૮ ] સમર્થ–સમાધાન સાધ્વીઓમાં અભિમાન વગેરેની માત્રા ન વધી જાય વગેરે કારણો જોઈને જ પ્રભુએ પુરુષ-યેષ્ઠ ક૫” ફરમાવ્યું-એવો સંભવ છે. આ જ ક૯૫ના-હિસાબથી જૂની દીક્ષિત સાધ્વી પણ નવા દીક્ષિત થયેલા સાધુને વંદન કરે છે. અને મોટા (પુરુષ-યેષ્ઠ) પણું માને છે અને આમ કરવું જ ઠીક જણાય છે. પ્રશ્ન ૬૫૫ –જીવાભિગમ સૂત્રમાં ૫ સ્થાવરને બદલે ૩ સ્થાવર જ કેમ બતાવ્યા? જવાબ –તેઉકાય અને વાયુકાયને સ્થાવર હોવા છતાં પણ ગતિ કરવાનાં (ઘાસ વગેરે ચીજો સળગતાં તેઉકાય આગળ ચાલે છે અને વાયુકાય પણ હવા રુપથી આગળ ચાલે છે) કારણે જીવાભિગમ અને ઉત્તરાધ્યયનમાં “ત્રસ’ બતાવ્યા છે. એટલે કે તેઉકાય અને વાયુકાય સ્થાવર છે, પરંતુ તે ગતિ કરવાને કારણે, તેમને “સ” પણ કહે છે. પ્રશ્ન ૬૫દ -ચૈત્ય” કેને કહે છે અને કેટલાં પ્રકારનાં હોય છે? જવાબ –જ્ઞાન, સાધુ, સ્તંભ (ચિતા ઉપરને થાંભલે) વ્યંતરા પતન ( વ્યંતરને રહેવાનું સ્થળ) વૃક્ષ વિશેષ વગેરે અનેક વસ્તુઓને “ચૈત્ય' કહે છે. એટલે કે જ્ઞાન વગેરે અનેક ચીજો ચૈત્ય કહેવાય છે. પ્રશ્ન ૬૫૭:–અછાયા (ઉઘાડું) કેને કહે છે? છાપરાંની નીચે તે સૂક્ષ્મ જીવ આવે છે? જવાબ:–છાયેલા (ઢાંકેલા) મકાન કે ઝાડ વગેરેની નીચે તે અછાયા નથી ગણાતી, ખાસ કરીને ઉપર ઉઘાડું હોય તેને “અછાયા' કહે છે. આવા ઉપર ઉઘાડા મકાન વગેરે હોય, ત્યાં સાધુને રાતમાં સૂવું, બેસવું વગેરે નથી કહપતું. છાપરાં મોટા હોય તે છાપરાંની નીચે બેસવામાં અછાયા સંબંધી કોઈ વાંધો જાણેલ નથી. છાપરાંની નીચે સૂફમ જીવ આવવાને સંભવ નથી રહેતું. પ્રશ્ન ૬૫૮ –બે હાથની અવગાહનાના સિદ્ધ કેવી રીતે થયા? જવાબ-કેઈ નાની ઉંમર (નવ વરસ)માં વામન સંસ્થાનવાળા મુનિ, ચોથા આરાના અંતમાં કે પાંચમાના પ્રારંભમાં મિક્ષ જાય, તો એવા પ્રસંગ ઉપર બે હાથની અવગાહનાવાળાનું સિદ્ધ થવાનું સંભવિત થઈ શકે છે. આ પ્રશ્ન ૬૫૯–શું “ અવધિ’ જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ છે? જવાબ:–મતિ, શ્રત અને અવધિ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિઓના ક્ષે પશમની સાથે દર્શન-સપ્તકનું ક્ષોપશમ વગેરે થયું હોય, તે ત્રણ જ્ઞાન, અને દર્શન-સપ્તકનું ક્ષપશમ વગેરે ન થયું હોય તે ત્રણ અજ્ઞાન થાય છે. અજ્ઞાન દશામાં જ તે “વિભંગ જ્ઞાન” કહેવાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy