SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો [ ૧૬૧ પ્રશ્ન ૨૮૨–નરકની અંદર પૃથવી, અપ, તેઉ, વાયુ અને વનસ્પતિનાં ખરાબ સ્પર્શ થવાનું ભગવતી શ. ૧૩ ઉ. ૪ માં કહ્યું છે, તે આ પાછું વગેરે કૃત્રિમ (બનાવટી) છે કે અકૃત્રિમ? જવાબ:–ત્યાં અપ, તેલ અને વનસ્પતિ તે કૃત્રિમ જ છે. પૃથ્વી અને વાયુ કૃત્રિમ અકૃત્રિમ બન્ને પ્રકારના હોય છે. પ્રશ્ન પ૮૩–લવણ સમુદ્રમાં વડવાનલ (અગ્નિ) છે, સમુદ્રમાં જે નદીઓ વગેરે મળે છે, તેમનાં પાને આ વડવાનલ વધુ નથી વધવા દેતા, તે શું આ જ પ્રકારે કાળ ઉદધિમાં પણ નદીઓ મળે છે અને તેમાં પણ વડવાનલ છે? જવાબ:–કાળ ઉદધિમાં વડવાનળ સાંભળવામાં આવ્યું નથી. પૃથ્વી વાયુ, સૂર્યને તાપ વગેરેથી પાણી શોષાઈ જઈને અમર્યાદિત ન વધવાને સંભવ છે. પ્રશ્ન ૫૮૪ –જીવના સુચક–પ્રદેશ, હંમેશાં ખુલ્લાં છે અને જીવન એક એક આત્મપ્રદેશ ઉપર કર્મોની અનન્તી અનન્તી અવેડો પડી છે, તો પછી સૂચક–પ્રદેશને નિલેપ કેવી રીતે સમજવા ? શું અડી પડીમાં કઈ સુરાખ (છિદ્ર) છે, જેમાં સુચકપ્રદેશ ખુલ્લા રહી શકે? જવાબ: –શાસ્ત્રીય પ્રમાણોથી તે ચક–પ્રદેશ નિલેપ નથી, એમ જ ઠીક જણાય છે. ગ્રંથ અને ટીકાકાને આમાં મતભેદ છે. પ્રશ્ન પ૮પ –જિનકલ્પી મુનિને ૭ ઉપધિ (કપડાં વગેરે) કહી, જિનકલ્પી રાત્રિએ એક જ જગ્યાએ રહે છે અને ખજવાળ પણ નથી ખજવાળતા, પછી તેમનાં ઘા (રજોહરણ) કયા કામમાં આવતા હશે? જવાબ –જિનકલ્પીની ઉપધિના આઠ વિકલ્પ હોય છે. કેઈ જિનકી ૨, કે ૩, કઈ ૪, કઈ ૫, કોઈ ૯, કેઈ ૧૦, કોઈ ૧૧, અને કેઈ ૧૨ સામગ્રી રાખે છે. બે માં ૧ રજોહરણ, ૨ મુખનું વસ્ત્ર (પત્તી) આ બે, જે એક વસ રાખે તે ત્રણ, બે વસ્ત્ર રાખે તે ચાર, ત્રણ વસ રાખે તે પાંચ ઉપકરણ (સામગ્રી) થાય છે. પાત્ર રાખવા વાળ જિનકલ્પીનાં પાત્રોના ૭ અને રજોહરણ, મુખવસ્ત્રિકા એમ નવ, એક વસ્ત્ર રાખે તે દસ, બે વસ્ત્ર રાખે તે અગિયાર, અને ત્રણ વસ્ત્ર રાખે, તે બાર ઉપકરણ થાય છે. બધાં જિનકલ્પી સરખાં નથી હોતાં. કેઈને રાત્રીએ લઘુખડીનીત (પિશાબ તથા જંગલ જવા). નું કામ પણ પડી જાય, આટલા માટે ની રક્ષા અને સાધુઓનાં ચિહ્નરૂપે રજોહરણ અને મુખવસ્ત્રિકા તે રાખે જ છે. પ્રશ્ન પ૮૬ –ચન્દ્ર વિમાનથી ગ્રહ વિમાન ઉપર છે. પછી રાહુનાં વિમાન ચંદ્રકળાને કેવી રીતે રોકી શકે છે? સ. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy