SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ] સમર્થ–સમાધાન કેટલાક બેલ નથી આવ્યા તથા કેટલાક તેના સિવાયનાં પણ આવ્યા છે. ત્યાં જઘન્ય ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે, તે ન બતાવતાં ઉત્કૃષ્ટ જ બતાવ્યા છે અને કેટલાક બોલોનું વર્ણન ત્યાં વિસ્તારથી પણ છે. આ રીતે બંને અધિકારમાં ભિન્નતા છે. પ્રશ્ન ૫૫૫ –છદમસ્થમાં અવધિજ્ઞાનીને કેમ ન ગણ્યા? ભગવતીજી શ. ૧ ઉ. ૪ માં તો જુદા ગણ્યા છે? જવાબ–સામાન્ય છદ્મસ્થના કથનમાં અવધિ અને પરમ અવધિજ્ઞાની પણ સમાવિષ્ટ થાય છે, પરંતુ વિશેષ કથનમાં જુદા જુદા પણ બતાવાય છે. ત્યાં વિશેષ બેધને માટે છદ્મસ્થ, અવધિજ્ઞાની અને પરમ અવધિજ્ઞાની જુદા જુદા બતાવ્યા છે. પ્રશ્ન પ૫૬ –ભૂચર મનુષ્ય, એક સમયમાં બે સૂર્યને જોઈ શકે છે શું ?, જવાબ–વધારે શક્તિશાળી યંત્રની મદદથી અને પિતા પોતાની મર્યાદામાં રહેલા બે સૂર્યના આતાપ કે સંધી-ક્ષેત્રમાં રહેલા મનુષ્યોની સિવાય, બાકીના ભૂચર મનુષ્ય, ચર્મ–ચક્ષુથી બે સૂર્યોને વે–તે શક્ય નથી. પ્રતિસૂર્યનું કેઈક વખત દેખાવું, તે અપવાદ રૂપ છે. પ્રન પપ૭:–દ્વીપ, એક હજાર જેજન ઊંડા કઈ રીતે સમજવા જવાબ –દ્વીપ અને સમુદ્રની સીમા પ્રમાણ અંગુલથી એક હજાર જેજન નીચેની બાજુએ છે. પ્રશ્ન પ૫૮ –વાટલા વૈતાઢય પર્વત ઉપર સૂક્ષ્મ વર્ષા થાય છે, તે શું બાદર અપકાયની વર્ષા પણ થાય છે કે નહિ? જવાબઃ–વાટલ (વર્તલ) વૈતાઢ ઉપર સૂક્રમ પાણી પડે છે, બાદર પાણી નથી પડતું. કેક વખત દેવ વગેરે વર્ષા કરી દે, તે તે વાત નિરાળી છે. પ્રશ્ન પ૫૯ –ગર્ભમાં નિહાર (જંગલ જવાનું) નથી થતું, પરંતુ પ્રસવનાં સમયે નિહાર થાય છે, આનું શું કારણ છે? જવાબઃ—જન્મ પછી બહારની હવા, કવલ આહાર (ઘૂંટી વગેરે) થી નિહાર (ઝાડા) થાય છે. પ્રશ્ન પ૬૦–નરકમાં ૭ ઘનવાય, ૭ તનવાય અને ૭ ઘનેદધિ બતાવી અને દેવલોકમાં ઘનવાત, તનવાત અને ઘનોદધિ હોવા છતાં પણ પ્રશ્ન ન કર્યો, આખું શું કારણ છે? જવાબ:–ભગવતી શ. ૨ ઉ. ૭, શ. ૬ ઉ. ૫ તથા શ. ૬. ઉ. ૮ અને જીવાભિગમ વગેરેમાં ઘનોદધિ વગેરેનાં આધારથી અમુક દેવલેક છે, વગેરે બતાવ્યું છે. વિશેષ અધિકાર સ્થાનાંતર હેવાની સંભાવના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy