SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૧૫૫ અને ભગવતી સૂત્ર બહુ જ મોટું થઈ જાત. પછી પણવણાનું સ્થાન જ રિક્ત(નકામું) થઈ જાત, ઈત્યાદિ કંઈક કારણે છે. પ્રશ્ન ૫૫૧ –ભવનપતિ દેવનું અવધિજ્ઞાનનું ઊંચું ક્ષેત્ર ૧, ૨ દેવલોક સુધીનું છે અને વૈમાનિક દેવનાં અવધિ જ્ઞાનને ઉપર જોવાને વિષય પોતાનાં વિમાનની ધજા પતાકા જેવા સુધીને જ છે. શું કારણ છે કે વૈમાનિક દેવ વિશેષ દ્ધિ એટલે શક્તિશાળી હોવા છતાં પણ તેમનું ઊર્ધ્વ અવલોકનનું ક્ષેત્ર ભવનપતિ દેવે કરતાં ઓછું છે? જવાબ:–આ અંતર સ્વાભાવિક છે. એમ તો અવધિ જ્ઞાન જુદા જુદા સ્વભાવવાળું છે. તે જાતિનાં દેવના ઊર્ધ્વ અવલોકનને આ જ સ્વભાવ છે. આને એક લાભ તેમને આ થાય છે કે તે તે વૈમાનિક દેવ, પિતાના વિમાનોની ઉપરના દેવકના દેવેને અને તેમના પિતાનાથી વિશેષ અદ્ધિ વગેરે ન જોઈ શકવાને કારણે, તેઓનાં મનમાં ખિન્નતા ઉત્પન્ન નથી થતી. પ્રશ્ન ૫૫૨ –ચન્દ્ર, સૂર્ય અસંખ્યાતા છે, તે ઈન્દ્ર કેટલા છે? અને જિનના જન્મ વગેરે ઉત્સવે પર ક્યા ઈન્દ્ર આવે છે? જવાબ-તિષિઓનાં જે અસંખ્ય ચન્દ્ર અને સૂર્ય હોય છે, તે બધા ઈન્દ્ર હોય છે, પરંતુ જાતિ માત્રની દૃષ્ટિથી બે જ બતાવ્યા છે. ઉત્સવનાં સમયે જે ક્ષેત્રનાં તીર્થકર હોય છે, તે ક્ષેત્રનાં ચન્દ્ર સૂર્ય તે આવે જ છે અને બીજા ક્ષેત્રમાં પણ આવવા ઈ છે તે આવી શકે છે. પ્રશ્ન ૫૫૩ – પ્રજ્ઞાપનાવનાં લેશ્યા પદમાં અને ભગવતી શ, ૧ ઉ. ૨માં ૧૨૪ર અલાવામાં શું અંતર છે? જે અંતર નથી, તે બંને જગ્યાએાએ એક સરખે પાઠ દેવાનું શું કારણ છે? જવાબઃ–બંને જગ્યાના પાઠમાં ડું થોડું અંતર છે, બધી રીતે સમાન નથી, પરંતુ ભાવ તે સરખે જ છે. એક જ વાતને બીજી વાર કહેવામાં આ કારણ હોય છે. પ્રતિષેધ, અનુજ્ઞા અને એક પ્રકારના હેતુનું કથન, જુદા જુદા પ્રકારના શ્રેતાઓને કારણે તથા પ્રશ્નકાર બીજો હેવાને કારણે, અને સંબંધ પૂર્તિ વગેરે કારણથી પણ એક વાત ફરી કહેવાય છે તથા પ્રજ્ઞાપનાને વિષય શ્રી શ્યામાચાર્યો પૂર્વોમાંથી લીધું છે. ઈત્યાદિ કારણેથી સૂત્રમાં કઈ વિષય બીજીવાર આવે છે. પ્રશ્ન પ૫૪–દેવ ઉત્પત્તિનાં ૧૪ બેલ જુદા જુદા ત્રણ સૂત્રમાં કેમ આવ્યા? જવાબ –માં ઉત્પન્ન થવાવાળાઓનાં ૧૪ બેલ ભગવતીમાં તે છે જ. પ્રજ્ઞાપનામાં આવ્યા તે પૂર્વેમાં ઉદ્ભૂત થવાને કારણે આવ્યા છે અને વિવાઈ સૂત્રમાં ૧૪ બેલમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy