SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે રોકવાથી શું અંતરાય કમ નથી બંધાતો? એટલે કે ગૃહસ્થને દાનઅંતરાય અને સાધુને ભેગ અંતરાય નથી લાગતું શું? જવાબ -કદલી–ફળ ક્યાંક તે ઝાડ ઉપર જ પાકે છે અને ક્યાંક ઘાસ, ધાન્ય વગેરેમાં પાકે છે તથા કયાંક અગ્નિ સંસ્કારથી, પણ બધી જગ્યાએ અગ્નિથી જ પાકે છે એવી વાત નથી. કેળાં, ફળ છે, તે તેમાં બીજ કેમ નહિ હોય? જે ફળની અવસ્થા વધારે કાચી છે, તે તેમાં બીજ ન પણ હોઈ શકે, પરંતુ પાકેલી અવસ્થામાં તે ફળમાં બીજ જરૂર જ હશે. એમ તે કદલીફળમાં બીજ દેખાય પણ છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જે સજીવ હોવા છતાં પણ અંકુરિત નથી થતી અને કેટલીય નિજીવ હોવા છતાં પણ અંકુરિત થાય છે. એટલા માટે અંકુરિત થવા ન થવા પરજ સચિત્ત-અચિત્તતા એકાંત આધારિત નથી. શામાં વનસ્પતિની ત્રણે–સચિત્ત, અચિત્ત અને મિશ્ર યુનિઓ બતાવી છે. આથી સાબિત છે કે વનસ્પતિની ઉત્પત્તિ અચિત્ત-નીથી પણ થાય છે. મુનિ-ક૫નાં નાતે કલ્પનીય અકલ્પનીય બતાવવું અંતરાય બંધનું કારણ નહિ પરંતુ મહાલાભનું કારણ છે. જેવી રીતે ચૌવિહાર પ્રત્યાખ્યાનવાળાને આહાર લેતાં કોઈએ દિન હોવાની શંકા બતાવીને ખાતા હોય તેને રોક્યા, તે આ અંતરાયનું કારણ ન થતાં લાભનું કારણ થયું. લાભ-ગેરલાભ બતાવવું તે અંતરાય નથી, જે વસ્તુનાં નિર્દોષ હવામાં જરા પણ શંકા હોય, તે વર્જનીય (છોડવા યોગ્ય) હોય છે. તેને ત્યાગ કરવો જ વ્યાજબી છે. જેવી રીતે– જે ભવે ભત્તાણું તુ, કપાકષ્પમ્સિ સંકિય, દિતિય પડિઆઈકને, ણ મે કઈ તારિસં. ૪૪, (દશવૈકાલિક પ-૧) પ્રશ્ન ૪૯ –રેગ વગેરે કારણ વિના જ સાધુ, સાઠવીને આહાર વગેરે દઈ શકે છે શું? તેવી જ રીતે સાધ્વી, સાધુને આહાર વગેરે દઈ શકે છે? આની મનાઈ કયા શાસ્ત્રમાં છે ? જવાબ:વ્યવહાર સૂત્રના પાંચમા ઉદ્દેશના ઉપાંતના સૂત્રમાં લખ્યું છે કે સાધુનો ગ હોય તે સાધ્વી પાસે વૈયાવૃત્ય ન કરાવવી જોઈએ. આ જ રીતે સાદેવીને વેગ હોય તે પણ સાધ્વીએ સાધુ પાસે વૈયાવૃત્ય ન કરાવવી જોઈએ. આહાર વિગેરે દેવું તે પણ વૈયાવૃત્ય છે. વ્યવહાર સૂત્ર ઉ. ૧૦ ના અંતિમ સૂત્રમાં આચાર્ય વગેરે ૧૦ ની વૈયાવૃત્ય કરવાનું બતાવ્યું છે. વૈયાવૃત્યનાં ૧૩ ભેદ ભાષ્યકારે બતાવ્યા. જેમાં આહાર, પાણી, પથારી. સંથારા વગેરે છે. પ્રશ્ન ૫૦૦–અનત્તર વિમાનના વિજય વગેરે ચાર દેવલોકનાં દેવ, ઉત્કૃષ્ટ ત્રણ ભવ કરીને મેક્ષ જાય છે એવું લખ્યું છે, પરંતુ પ્રજ્ઞાપના સત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy