SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૧૩૫ જવાબ:-જમ્બુદ્વીપનાં ભરત ચેરવત ક્ષેત્રમાં તીર્થકર એકી સાથે એક જ સમયમાં જન્મ લે છે. આ જ પ્રકારે પૂર્વાર્ધ ધાતકી ખંડના ભરત અરવતના બે તીર્થકર એક જ સમયમાં જન્મ લે છે. આ જ પ્રકારે પશ્ચિમાધનાં બે બે સાથે સમજવા જોઈએ. દસ જ એકી સાથે ઉત્પન્ન થાય એવી વાત નથી. આંખ ફસ્કવા જેટલા સમયમાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે. જે ૧, ૨, ૩ કે થોડા સમયના અંતરથી ઉત્પન્ન થાય, તે વ્યવહારમાં તે તેઓ બધાં સાથે જ માલુમ પડશે. આ જ પ્રકારે પાંચ મહાવિદેહમાંથી એક મહાવિદેહમાં એક સમયમાં ચાર તીર્થકરનાં જન્મ થાય છે, ૨૦ ના નહિ. તેમાં પણ છેડા સમયનું અંતર રહે છે. પ્રશ્ન ક૭૬ –તીર્થકર, માતાના ગર્ભમાં આવે છે ત્યારે પૂર્વભવથી જ અવધિજ્ઞાન સાથે લઈને આવે છે, આ જ રીતે શું અન્ય જીવ પણ પૂર્વભવથી અવધિજ્ઞાન સાથે લઈને આવે છે? જવાબ:–અવધિજ્ઞાનની કાય-સ્થિતિ પણ ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ વધારે છે, આથી સ્પષ્ટ થાય છે કે તિર્થંકરનાં સિવાય કઈ બીજા મનુષ્ય પણ પૂર્વભવથી અવધિજ્ઞાન સાથે લઈને આવે છે. કેઈ મનુષ્યમાં વિક્રેયલબ્ધિ ગર્ભમાં પણ હોઈ શકે છે, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં નથી હોતી. પ્રશ્ન ૪૭૭ –મેક્ષમાં બધી જગ્યાએ અનંત સિદ્ધ કહ્યા છે, તે સમુદ્રની ઉપર તે ઓછી જ સિદ્ધ થયા હશે અને બધાં મુક્ત, સમગ્રણીથી સિદ્ધ થાય છે, તે સમુદ્રમાં તે સાહરણ (હરણ કરવું)નાં કારણે, કેક વખત જ કેઈ સિદ્ધ થતા હશે. હા, જે વિગ્રહગતિથી સિદ્ધ થવાનું માની લેવાય, તો સમજમાં આવી શકે છે. આપને આમાં શું ખુલાસે છે? જવાબ:–બધાં સિદ્ધ સમશ્રેણીથી જ મેક્ષસ્થાનને પ્રાપ્ત થાય છે. એટલે કે જે જગ્યાએ રહીને દેહ ત્યાગે છે, તેની ઉપર સમશ્રેણીથી-બિલકુલ સીધાણમાં સિદ્ધ-સ્થાનમાં મળે છે. જે મેરુ વગેરે પર્વતેથી, યુગલિક ક્ષેત્રેથી તથા સમુદ્રથી સિદ્ધ થાય છે, તે સાહરણ કરેલા જ થાય છે. હજુ સુધી સાહરણની ઘટનાઓ ઓછી જ થાય છે, તે પણ અનાદિકાળથી આવી ઘટનાઓ થવાને કારણે સમુદ્રના સીધાણ પર પણ અનંત સિદ્ધ થવામાં શંકા જેવી કઈ વાત નથી. જે અનંતકાળમાં એક એકના સાહરણ થઈને સિદ્ધ થાય, તે પણ અનંત થઈ શકે છે. પ્રશ્ન ૪૭૮ તીર્થકર નામ કમને બંધ, મનુષ્ય ગતિમાં જ થાય છે, કે બીજી ગતિઓમાં પણ થાય છે? જવાબ:-તીર્થકર નામ કર્મને બંધ ખાસ તે મનુષ્યગતિમાં જ પ્રારંભ થાય છે, પરંતુ કર્મ બાંધ્યા પછી નરક તથા દેવગતિમાં પણ તેને બંધ ચાલુ રહે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy