SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ^ ^ ^ ^ ^ ^^^^^^^^^^^^^^^ ^^ ^^ ^ ^^^^^^^ ^w ૧૨૮ ] સમર્થ સમાધાન છૂટી જાય છે અને પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ અસંયત ભાવ આવી જાય છે, એટલે કે મહાવતેની વિરાધના થઈ જાય છે અને તે શ્રમણ (સાધુ) ફરીથી સાવધાન થઈને વિકૃતભાવેને હટાવીને શુદ્ધિ કરણ કરી લે છે, ત્યારે જ તે સંયતી રહે છે અને ભગવાનની આજ્ઞાને આરાધક થાય છે. બીજી રીતે નહિ. શુદ્ધિકરણ થવાની અપેક્ષાથી જ મહાવ્રત ભંગ પણ ષડૂ-સ્થાન-પતિતમાં સંમિલત મનાય છે. આ વાત તે ભગવાને નકકી રૂપથી ફરમાવી છે. વ્યવહાર રૂપથી ભગવાનની આજ્ઞા આ પ્રમાણે છે. નિશીથ સૂત્રમાં લખ્યું છે કે મહાવ્રતને અંશ માત્ર પણ ભંગ કરે, તે માસિક, લઘુ, ગુરુ પ્રાયશ્ચિત આવે છે. નિશીથ સૂત્રના ૧૦મા ઉદ્દેશમાં લખ્યું છે કે કોઈ સાધુને લઘુ-પ્રાયશ્ચિત, ગુરુપ્રાયશ્ચિત, લઘુ-પ્રાયશ્ચિતને હેતુ, ગુરુ પ્રાયશ્ચિતને હેતુ અને લઘુ-પ્રાયશ્ચિતને સંકલ્પ, ગુરુ-પ્રાયશ્ચિતને સંકલ્પ સાંભળ્યું હોય, જાણે હોય, તે જાણવા છતાં પણ તેની સાથે આહાર પાણી કરે, તે ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે. વ્યવહાર સૂત્રનાં સાતમા ઉદ્દેશામાં પાસત્ય વગેરે આહાર દેવાનાં સંબંધે વિચ્છેદ (નાશ કરવાનું વિધાન છે. નિશિથ સૂત્રનાં તેરમા ઉદ્દેશામાં પાસત્ય વગેરે ૯ ને વંદના કરવાથી અને વખાણ કરવાથી ચૌમાસી પ્રાયશ્ચિત બતાવ્યું છે. નિશીથ સૂત્રનાં ૧૫ મા ઉદ્દેશામાં પાસત્ય વગેરે ૫ ને અશન (ખાવાનું) વગેરે ચાર અને વસ્ત્ર વગેરે ૪ દે કે તેની પાસેથી લે, તે ચૌમામી પ્રાયશ્ચિત આવે છે. ઈત્યાદિ અનેક સ્થળોએ ચારિત્ર પ્રવૃત્તિનાં ભંજકની સાથે વ્યવહાર કરવાની મના છે. એટલા માટે વ્યવહારમાં તે ઉપર કહેલાં વિધાનેનું પાલન જ ઉપયોગી છે. નિશ્ચયની વાત જ્ઞાની જાણે છે. ષસ્થાનનું વિવરણ આ રીતે છે. છ હાનિ (ઘટ)-૧ અનંત ભાગ હીન ૨ અસંખ્ય ભાગ હીન ૩ સંખ્યય ભાગ હીના ૪ સંખ્યય ગુણહીન પ અસંખ્ય ગુણહીન અને ૬ અનંત ગુણહીન. છ વૃદ્ધિ (વધ)-૧ અનંત ભાગ વૃદ્ધિ ૨ અસંખ્ય ભાગ વૃદ્ધિ ૩ સંખ્યય ભાગ વૃદ્ધિ ૪ સંખ્યય ગુણ વૃદ્ધિ ૫ અસંખ્ય ય ગુણ વૃદ્ધિ અને ૬ અનંત ગુણ વૃદ્ધિ. પ્રત્યેક ચારિત્રનાં અનંત પર્યવ હોય છે. એક ચારિત્રને પાળવાવાળા અનેક જીવ હોય છે. યથાખ્યાત ચારિત્રનાં સિવાય બીજા ચારિત્રનાં પાલકોનાં પરિણામમાં અસમાનતા અને સમાનતા બંને પણ હોઈ શકે છે. અસમાનતાને સમજવાને માટે ષગુણ હાનિવૃદ્ધિનું સ્વરૂપ બતાવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy