SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૧૨૫ ભગવાને જન્મ મહોત્સવનાં સમયે મેરુપર્વતને કંપાવ્યું. આ વાત મૂળ સૂત્રની તે નથી, પરંતુ ગ્રંથની છે. આટલા માટે નક્કી તે જ્ઞાની જાણે, પરંતુ શાશ્વત હેવાને કારણે મેરુનાં કંપનમાં અડચણ નથી આવી શકતી. કેમકે સ્થાનાંગ સૂત્ર સ્થા. ૩ ઉ. ૪માં દેશરૂપથી અને સર્વ રૂપથી પૃથ્વીનાં ચલિત થવાનાં ત્રણ ત્રણ કારણે બતાવ્યા છે. જ્યારે સંપૂર્ણ પૃથ્વી જ ચલાયમાન થઈ શકે તે મેરુનાં કંપનમાં આશ્ચર્યની વાત જ શું છે ? સ્થાનાંગમાં દેવનાં બળ વગેરેથી પૃથ્વીનું પૂર્ણ રૂપથી કંપની સાબિત થાય છે, ત્યારે તીર્થંકર શાશ્વત મેરુને કંપાવી શકે, એમાં કઈ બાધા છે? પ્રશ્ન ૪૫૨ –બાદર વાયુકાય, બાર દેવલોક સુધી જ છે કે તેથી પણું ઉપર? જુની ધારણુમાં ઊર્વ લોકાંતમાં જીવનાં ૧૨ ભેદ માન્યા છે. જેવા કે-૫ સૂક્ષ્મ સ્થાવર અને છઠે બાદર વાયુકાય, આ છ ની પર્યાપ્તા અને અપર્યાપ્તતા, શું આ ધારણું બરાબર છે? જવાબ:–આદર વાયુકાય લેકનાં અંત સુધી છે. આ વાત “પ્રજ્ઞાપના સૂત્ર'નાં બીજા સ્થાન પદમાં” બાદર વાયુકાયનાં અધિકારથી જ સ્પષ્ટ થાય છે. જેમ કે-“કમ્પ” શબ્દથી બાર દેવલેક અને “વિમાણેસુ” શબ્દથી રૈવેયકનાં પ્રકીર્ણક અને “વિમાણુવલયાસુ” શબ્દથી રૈવેયક અને અનુત્તરનાં આવલિકાબદ્ધ વિમાન લેવા જોઈએ. આના પછી “લેગાગાસછિદ્દે” શબ્દથી લેકમાં જ્યાં કયાંય પિલાણ હોય, ત્યાં બાદર વાયુકાય સમજી લેવું જોઈએ. આનાં પછી “લેકનિફખુડેસુ” શબ્દથી લોકનાં ખુણામાં પણ બાદર વાયુકાયનું હોવું લેકાંત સુધી સાબિત થાય છે. લેકાંતમાં બાદર વાયુકાય સિવાય બીજા બાદર છવ વાટે વહેતા (ભવાંતરમાં ગમન કરતાં એટલે કે જતાં) હોય છે. આનાં સિવાય કઈ બાદર જીવ નથી લેતા. પાંચ સ્થાવરનાં સૂક્ષ્મ અને વાયુકાયનાં બાદર આમ છ પ્રકારનાં જની પર્યાપ્તા અને અપર્યાપ્તા--આવા ૧૨ ભેદ, લેકનાં પૂર્વ વગેરે ચરમતમાં હોવાનું શ્રી ભગવતી સૂત્ર શ. ૩૪ ઉ. ૧ માં બતાવ્યું છે. આનાથી પણ લેકાંત સુધી બાદર વાયુકાયા હોવાનું સાબિત થાય છે. આના સિવાય ભગવતી શ. ૧૭ ૬, ૧૦, ૧૧ અને શ. ૨૦ ઉ. ૬માં વાયુકાયના જીવ “ઈષાભાર” પૃથ્વી ( સિદ્ધ શિલા) સુધી ઉપર ઉત્પન્ન થવાને ઉલ્લેખ કરીને તેમાં ચાર સમુદઘાત હોવાનું લખ્યું છે. આ પણ બાદર વાયુકાયનું હોવાનું જ સાબિત કરે છે, કેમકે ચાર સમુદઘાત વાળી વાયુકાય બાદર જ છે. આ પ્રમાણુથી ઈષત્ પ્રાક્ષાર પૃથ્વી સુધી બાદર વાયુકાય હેવાનું સાબિત થાય છે. પ્રશ્ન ૪પ૩ –જીવ અસંખ્ય કાળ સુધી આહારક રહે છે એ સિદ્ધાંત છે, તે જે સમયે જીવ એક ગતિને છેડે, તે જ વખતે બીજી ગતિમાં ઉત્પન્ન થઈ જાય છે કે એક સમયમાં મરીને બીજા સમયમાં ઉત્પન્ન થાય? મૃત્યુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy