SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે ( ૧૨૭ પ્રશ્ન ૪૪૦ –જે આકાશ પ્રદેશોમાં સિદ્ધ ભગવાન રહેલા છે, તે જ આકાશ-પ્રદેશમાં કર્મથી બંધાયેલા, બીજા જીવ પણ છે શું? અને કર્મવર્ગણુઓ પણ છે શું? જે જીવ છે, તે સૂક્ષ્મ છે કે બાદર? બાદર છે તે ક્યા? સિદ્ધશિલા પિતે બાદર પૃથ્વીકાય છે, પરંતુ તેની ઉપર બીજા બાદર છવ છે શું? જે આકાશ-પ્રદેશનું અવગાહન સિદ્ધ પરમાત્માએ કર્યું, તે જ આકાશ-પ્રદેશમાં બીજા બાદર છવ પણ છે શું ? ત્યાં બાદરવાયુકાય પણ છે શું? જવાબ –સિદ્ધ ભગવંતએ જે આકાશ-પ્રદેશનું અવગાહન કર્યું, તે જ આકાશપ્રદેશમાં કર્મનાં બંધનથી બંધાયેલા પાંચે સ્થાવર કાયનાં, સૂધમ અને બાદર વાયુકાયનાં આમ ૬ પ્રકારનાં જીવ છે. સિદ્ધ અવગાહિત આકાશ-પ્રદેશમાં બાદર વાયુકાયનાં છવ તે છે, પરંતુ બીજા વાટે વહેતા (ભવાંતરમાં જતા) જીવનાં સિવાય બાદર જીવ નથી હોતા. પાંચ સ્થાવરનાં સૂફમ જીવ તો લેકમાં બધી જગ્યાએ છે. બાદર વાયુકાય લેકમાં તે બધી જગ્યાઓમાં છે – જ્યાં પોલાણ છે. આ વાત પ્રજ્ઞાપના સૂત્રનાં “સ્થાનપદથી સિદ્ધ છે. ભગવતી શ. ૩૪ ઉ. ૧ માં ઉલ્લેખ છે કે લેકની પૂર્વાદિ ચરમ સીમા સુધી બાદર વાયુકાય છે. પ્રશ્ન ૪૪૧૪–સૂક્ષ્મજીવોનાં શરીર કેટલા સ્પેશવાળ છે? આઠથી ઓછા સ્પર્શવાળા દારિક શરીર હોય છે શું ? જવાબ :–ભગવતી શ. ૧૨ ઉ. પ માં એક કામણ શરીરને જ ચાર પશવાળું બતાવ્યું છે, બાકીનાં ચારે શરીર, આઠ સ્પર્શવાળા છે. તેથી સૂક્રમ નાં દારિક શરીર પણ આઠ સ્પર્શવાળા જ છે. પ્રશ્ન ૪૪ર :–મૂળ ગુણના દેષિત સાધુને કર્યું પ્રાયશ્ચિત આવે છે? જવાબ મૂળ ગુણ વિરાધકને પ્રાયશ્ચિત, મૂળથી દીક્ષા છે. જે દોષ ના હોય તે પ્રાયશ્ચિત પણ છેદ અથવા તપનું હોય છે. પ્રશ્ન ૪૪૩ –ઉત્તર ગુણના વિરાધકને કયું પ્રાયશ્ચિત આવે છે? જવાબ:—ઉત્તમ ગુણની વિરાધનાનું પ્રાયશ્ચિત યથા યોગ્ય પહેલાથી સાતમા સુધી સમજવું જોઈએ. પ્રશ્ન ૪૪૪-મૂળ ગુણની વિરાધના કરવાવાળા સાધુને પ્રાયશ્ચિત (નવી દીક્ષા) દીધાં વિના જ શુદ્ધ માની શકાય છે કે શું? જવાબ :–મૂળ ગુણનાં પ્રગટ ની પ્રગટમાં (જાહેરમાં) અને ગુપ્ત દોષની ખાનગી રૂપથી શુદ્ધિ કરવી જરૂરી છે. આનાં વિના શુદ્ધ માનવાની વાત ખોટી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy