SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો [ ૧૧૯ ધર્મની સાથે સંગત નથી, આ વૈદિક ધર્મની નકલ છે અને આ પણ એક પ્રકારની જુગુપ્સા છે, જે સાધુ-ધર્મને માટે મનાઈ રૂપ છે. પ્રશ્ન કર૯-માસિકધર્મ સંબંધિત મર્યાદા શું છે? જવાબ:–માસિક ધર્મ જ્યાં સુધી હોય, ત્યાં સુધી આવશ્યક સૂત્રનાં સિવાય બીજા સૂત્રનું વાંચન ન થવું જોઈએ. પ્રતિક્રમણ, ધર્મ ઉપદેશ, ભિક્ષાચારી, સેવા-સુશ્રુષા, સૂત્ર ઉપાડીને વિહાર કરે- આ બધાં કામે માસિક-ધર્મનાં સમયે કરી શકાય છે. માસિક-ધર્મ હોવા છતાં પણ સાધુત્વ કાયમ રહે છે, તે શ્રાવકને માટે સામાયિક, સંવર, મરણ, પ્રતિક્રમણ, જિનનાં ગુણગાન-આ કેવી રીતે બાધક થઈ શકે છે? એટલે કે શ્રાવિકાઓ તે અવસ્થામાં સામાયિક વગેરે ઉપર કહેલાં કાર્યો કરી શકે છે. વ્યવહાર સૂત્રના ૭ મા ઉદ્દેશમાં તે ત્યાં સુધી ઉલ્લેખ છે કે રજસ્વલા સાધ્વી કઈ ખાસ પ્રસંગ ઉપર પટું વગેરે સંરક્ષાની સાથે, શાસ્ત્ર વગેરેનું વાંચન કરી શકે છે. આવી દશામાં બીજા કામને માટે વાંધે કેમ હોય ? પ્રશ્ન ૪૩૦-મહારાજ શ્રી, શ્રાવકનાં રાત્રી–ભેજન ત્યાગને સાતમા વ્રતની અંદર આવેલ બતાવે છે, તે સાતમા વ્રતમાં તે ૨૬ બોલને ત્યાગ જીદગીભરને માટે છે, ત્યારે રાત્રિભેજનનાં ત્યાગને પાંચમી પ્રતિમામાં જ માનીએ, તે શું અડચણ છે? જવાબ –જેવી રીતે શ્રાવક, ત્રીજી પ્રતિમાથી સામાયિક અને દેશાવગાસિક વ્રતનું આરાધન કરતા રહે છે, ત્રીજી પ્રતિમાનું પાલન કરતા હોવા છતાં વ્રતની અપેક્ષા સામાયિક ૯ મું અને દેશાવગાસિક ૧૦ મું વ્રત છે, તથા ચેથી પ્રતિમામાં મહિનામાં ૬ પિષધ કરે છે, તેમનાં વતની અપેક્ષા ૧૧ મું સ્થાન છે. આ રીતે પાંચમી પ્રતિમામાં તેઓ સ્નાન અને રાત્રિભોજનને પૂર્ણ રૂપથી ત્યાગ કરે છે, તે ૭ મા વ્રતમાં અને દિવસનું બ્રહ્મચર્ય પાળે છે, તે ચોથા વ્રતમાં છે, આ જ રીતે છઠી પ્રતિમાથી તેઓ પૂર્ણ બ્રહ્મચારી થઈ જાય છે, આ પણ ચોથા વ્રતમાં અને સચિત્ત આહારનો ત્યાગી થાય છે, તે સાતમા વ્રતમાં ગણાય છે, આ રીતે રાત્રિ-ભજન ત્યાગ પાંચમી પ્રતિમામાં હોવા છતાં પણ વ્રતની અપેક્ષા સાતમામાં છે, શ્રાવકને રાત્રિ–ભેજનને ત્યાગ, સાતમા વ્રતમાં હોવાને ઉલ્લેખ “આવશ્યક ટીકા” માં છે. પ્રશ્ન ૪૩૧ –જે વ્યક્તિને રાત્રિ-જનને ત્યાગ નથી, તેનું સાતમું વ્રત ભંગ અથવા સાતમું શત ન હોવાનું મનાશે? જવાબ:–રાત્રિ-ભજનનાં પ્રત્યાખ્યાન સિવાય પણ બીજી અનેક વસ્તુઓનાં પ્રત્યાખ્યાન હોવાથી, સાતમું વ્રત હોઈ શકે છે, અને વ્રતને માટે થયેલ બીજા પ્રત્યાખ્યાનોના પાલન કરવા વાળાનું (રાત્રિ-ભજનનાં ત્યાગના અભાવમાં) સાતમું વ્રત ભાંગી ગયાનું ન માનવું જોઈએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy