SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ j સમય –સમાધાન માતા, પિતા, ભાઈ વડે રક્ષિત હાય, જેઓ પિયર કે સાસરાના કુળથી રક્ષિત હાય, શૃંગાર વગેરેથી રહિત, ઈચ્છા વિના બ્રહ્મચર્ય નું પાલન કરે છે, પરંતુ ઉપતિ નથી કરતી, તેઓ કાળ કરીને સ્વર્ગમાં જાય છે. આ ઉલ્લેખથી સ્પષ્ટ છે કે બ્રહ્મચય નુ પાલન કરવાની ઈચ્છા ન હેાવા છતાં પણ પુનિવવાહ ન તા કુલીન સ્ત્રીઓ કરે છે, કે ન તે તેમના રક્ષક પણ કરાવે છે. જો રિવાજ હોત, તે “ અકામ બ્રહ્મચય” શબ્દનો પ્રયોગ જ શું કામ થાત ? શાસ્ત્રામાં તે પુનિવવાહના કયાંય ઉલ્લેખ નથી અને ન આ નીતિ–સંગત–પણ છે. પાંચ મહાવ્રતધારી સાધુ તો પહેલા લગ્નના પણ ઉપદેશ નથી દઈ શકતા, તેા પુનિવવાને ફેલાવા કેવી રીતે કરાવી શકે છે ? આવું કરવાવાળા જૈન ધમ ની સાધુતાને કલ`ક્તિ કરે છે. જૈન સાધુ પુનર્વવાહ વગેરે અબ્રહ્મચર્ય વિષયે ઉપદેશ કે અભિપ્રાય દેવાથી બચતા રહે, તે જ ભગવાનની આજ્ઞા છે. પ્રશ્ન ૪૨૮ :-પુત્ર પુત્રીના જન્મનુ' સૂતક લાગે છે શુ' ? કેટલા દિવસે સુધી, અને સૂતક લાગવાનું કારણ શું છે ? જવાબ :—પ્રસવની પછી લગભગ ૭–૮ દિવસ અશુચિ પદ્મા નું વહેવુ ચાલુ રહે છે. જચ્ચાગૃહથી સલગ્ન જગ્યામાં સાધુ-સાધ્વી ઊતર્યાં હાય, તેા ‘ આવશ્યક સૂત્ર' સિવાય ખીજા સૂત્રાનુ' વાંચન બંધ રહે છે, પરંતુ તે ઘરનાં આહાર, પાણી, સાધુ જીવનને માટે ખાસ વાંધારૂપ નથી હોતાં. જો આહાર પાણીને માટે પણ સૂતક માની લેવાય, તેા ખીજા ઘરોમાંથી લાવેલા આહાર પાણી તે જગ્યાએ આવવાથી સૂતકવાળા થઈ જશે, પરંતુ આવુ માનવામાં નથી આવ્યું. સૂતક માનવાવાળા પક્ષ પણ સૂત્ર વાંચન ૭-૮ દિવસ સુધી રાકે છે, પરંતુ આહાર પાણી બંધ નથી કરતા, આથી સ્પષ્ટ છે કે સૂત્ર-વાંચન અને આહાર–પાણીની સમાનતા નથી. ઉપર કહેલી અવસ્થામાં સાધુ-સાધ્વી, આવશ્યક સૂત્રના તો તે જ મકાનમાં ઉભયકાળ ( અને વખત ) પાઠ કરે જ છે. બીજા સૂત્રોનું વાંચન અટકે છે, આથી એ પણ સ્પષ્ટ થાય છે કે સૂત્રાનાં વાંચનમાં પણ સમાનતા નથી, તે। આહાર ખાખતમાં સૂત્ર-વાંચનની સાથે સમાનતા કેવી રીતે હોઈ શકે છે? સાધુ–સાધ્વીજીને પણ ફાડલા-ફોડકી વગેરે થાય છે. તેમાંથી લાહી પરૂ વગેરે નીકળે છે. તે અવસ્થામાં પણ તે સાધુ-સાધ્વી, આવશ્યક સૂત્ર અને સમયે જરૂર વાંચે છે અને આહાર-પાણી પણ લાવે છે અને કરે છે. આથી એ સાબિત થાય છે કે લેહી અને પરૂવાળા ફાડલા-ફોડલી તેમને થવા પર સાધુ-સાધ્વીજીની સાધુતા નથી બગડતી, પર ંતુ સુરક્ષિત રહે છે, ત્યારે સૂતકવાળા ઘરનાં આહાર-પાણી તેમને માટે વાંધા ભર્યાં કેવી રીતે હાઈ શકે છે? આ કારણથી સાખિત થાય છે કે આહાર-પાણી વિષયક સૂતક માનવું, જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy