SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ] સમથે સમાધાન પૂર્ણરૂપથી પાલનને જ ભગવાને ઉપદેશ દીધું છે. આવી દશામાં કયા સૂત્રીય આધારનાં બળે મુનિ પુનર્વિવાહનો ઉપદેશ દેવામાં સમર્થ થઈ શકે છે? શું પુનર્વિવાહને ઉપદેશ અબ્રહ્મચર્યને પિષક નથી ? પુનર્વિવાહ, અબ્રહ્મચર્ય (મૈથુન ક્રિયા) ને પ્રેરક જ છે, કેઈ મહાવ્રતી સાધુઓ એના પ્રેરક બને–એ બરાબર જ નથી. કઈ કઈ નીચેનાં ત્રણ શાને આધાર લઈને આ પ્રવૃત્તિને શાસ્ત્રીય બતાવવાને પ્રયત્ન કરે છે. (૧) ભગવાન 2ષભદેવજીનાં ચારિત્રને ૨ સુકુમાલિકોને અને ૩ પંડિતપુત્ર મૌર્ય પુત્રનાં કથાનકને. તેને જવાબ કમવાર આ રીતે છે. (૧) ભગવાન ઋષભદેવજીનું પુનવિવાહનું કથન અસંગત જ છે, કેમકે ભગવાને પુનવિવાહ નથી કર્યો, આ વિષય ઉપર કંઈક વિચાર કરાય છે. યુગલિક તેઓ છે, જે સાથે જ પેદા થાય છે અને સાથે જ મરે છે. તે બેમાંથી કોઈ એકને વિયેગ થતું નથી; બંનેમાંથી કોઈ એક બીજાનાં મૃત્યુને વિગ નથી લેતાં. તેઓની ઉંમર કરોડ પૂર્વથી વધારે હોય છે. માતપિતાનું આયુષ્ય છ મહિના બાકી રહે ત્યારે તેમને જન્મ થાય છે. આ રીતે યુગલિકોની દશા હોય છે. ભગવાન ઋષભદેવજીને સમય ભોગભૂમિ અને કર્મભૂમિને સંધિકાળ હતું. તે સમયે કોઈ યુગલ ભેગભૂમિના આયુષ્યનાં અને કઈ કર્મભૂમિના આયુષ્યનાં તથા કોઈ યુગલમાંથી એક તે ભેગભૂમિના આયુષ્યનાં અને બીજા કર્મભૂમિના આયુષ્યનાં (જેવી રીતે નાભિરાજા અને મરુદેવીજી) હતા. આથી આ સ્પષ્ટ થઈ જાય છે કે તે સમય પૂર્ણરુપથી યુગલિકધર્મવાળ ન હતો. ત્રિષષ્ટિશલાકા-પુરૂષ ચરિત્ર” માં ભગવાન ઋષભદેવજીનું પણ વર્ણન છે. તેમાં સહવાસી બાળક” શબ્દને પ્રવેગ છે. તે બાળયુગલ મંઠિત થઈ ગયું. બાળકનું મૃત્યુ પહેલાં થઈ ગયું. જે તે યુગલિયા (ડલા) હોત, તે તેનું આયુષ્ય કોડ પૂર્વથી વધારે હોત, કેવળ સાથે જન્મ લેવાથી જ યુગલિયા (ભેગ-ભૂમિજ) નથી થઈ શક્તા. એક સાથે ગર્ભમાં રહેવું અને જન્મવું, તે અત્યારે પણ થાય છે. યુગલ બાળક-બાળકીનાં માતા-પિતા તેને છ મહિનાના છોડીને મૃત્યુને પ્રાપ્ત થતા, પરંતુ આનાં તે બાળકનાં મરવા પછી પણ માતા-પિતા હૈયાત હતા, જેમણે તે બાળકીનું પાલણ પિષણ કર્યું. આથી સાબિત છે કે તે બાળક, યુગલિક સ્વભાવને ન હતું. અને ગ્રંથકારે “સહવાસી બાળક” શબ્દને અનેકવાર પ્રયોગ કર્યો છે. આથી સ્પષ્ટ છે કે તેઓ દામ્પત્ય અવસ્થાને પ્રાપ્ત થયા ન હતાં, તેઓ ભાઈ-બહેન હતાં. જબૂદ્વીપ પ્રાપ્તિમાં યુગલિકેના અધિકારમાં માતા, પિતા, બહેન, પત્નિ વગેરેના વિષયમાં ભગવાને ફરમાવ્યું કે “ભગિની-સહજતા, ભાય–ગ્યા” આ શબ્દોથી સ્પષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy