SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ] સમય –સમાધાન પાપ વધારામાં લાગે છે. હજારો લાખા રૂપિયાની કિંમતની મોતીની માળા પહેરવાવાળા પણ ફૂલમાળા ( ફૂલની સુગંધ વગેરેથી આકર્ષાઈ ને) પહેરે છે. જો પહેરવાવાળા નિર્માહી હશે તે ફૂલમાળામાં પણ તેના મેહ નહિ રહે અને કામમાં નહિ લ્યે, તેથી ઉપરોકત દૃષ્ટિએ ફૂલમાળામાં પાપ વધારે છે. પ્રશ્ન ૪ર૬ઃ—સાધુ, સ્થાનક઼ બનાવવાનો ઉપદેશ આપે, આ સૂત્રોની મર્યાદાને અનુકૂળ છે શુ? જવાબ :—સાધુ, હિંસા વગેરે પાપાનાં ત્રણ—કરણ ત્રણ ચોગથી પૂર્ણ રૂપે ત્યાગી હાય છે. હિંસા વગેરે પાપાનાં સથા ત્યાગી હોય છે, તેમને જ નિગ્ર ંથ-પ્રવચનમાં સાધુ માન્યા છે. આચારાંગ, દશવૈકાલિક, પ્રશ્ન વ્યાકરણ, ઉત્તરાધ્યયન વગેરે સૂત્રમાં વધુ વેલ મહાવ્રતનાં સ્વરૂપમાં આમ જ લખ્યું છે. ધર્માંનું સ્થાન બનાવવામાં પણ પૃથ્વીકાય વિગેરે છ કાયનાં જીવેાની વિરાધના થાય જ છે. આ વિરાધનાનું અનુમાદન કરવાનું પણ સાધુ-ધથી વિરૂદ્ધ છે, તો પછી ઉપદેશ દઈ ને અને પ્રેરણા આપીને સ્થાનક બનાવડાવવામાં સાધુતાનુ ખંડિત હાવાનું તે અનિવાય જ છે. દશવૈકાલિક સૂત્રમાં લખ્યું છે કે પૃથ્વીકાયના જીવોની વિરાધનાને અનુમાદન કરવાવાળા, સાધુતાથી ભ્રષ્ટ થઈ જાય છે નિગ્ન થત્તા ભરસઈ” આ વાક્યથી સિદ્ધ છે. આવા પ્રકારના સંયમનું વર્ણન સમવાયાંગ વગેરેમાં છે, જે સ્થાનક (જગ્યા) મનાવવાના ઉપદેશ આપે છે, તેમનાંથી પૃથ્વીકાય વગેરે સંયમનુ પાલન કે રક્ષા કેવી રીતે થશે? દશવૈકાલિક અ. છ ગા. ૨૬ થી ૨૯માં—ઝાડ વગેરે જોઇને, તેનાં થાંભલા, કબાટ, ઉપાશ્રયની વસ્તુ અથવા બીજી અનેક વસ્તુઓ ‘ બનાવવા યોગ્ય છે ’–એમ કહેવુ પણ સ્પષ્ટ રીતે મના કરેલ છે. “ ભુએ વધાણ ભાસ, નેવ' ભાસિજ્જ પણ્વ અધ્યયનની ૫૪ મી ગાથાથી પણ સાવદ્ય-ભાષાની અનુમેદના કરવાની પણ પૂર્ણ રૂપે મના છે, તેા પછી સ્થાનક બનાવવાનાં ઉપદેશની તે વાત જ ક્યાં રહી ? તથા આ ગૃહસ્થનાં ખુદનાં રહેવાને માટે બનેલા મકાનને જો ગૃહસ્થ, સાધુએને માટે આપી દે, અને પેાતાને માટે બીજું બનાવડાવે તે આવું મકાન પણ સાધુઓને માટે વાપરવાને ચેગ્ય નથી, તેા બનાવવાને માટે ઉપદેશ દેવાનુ તેા રહ્યું જ કયાં ! (આચારાંગ–શય્યા અ. . ૨) સ્થાનના વિષયમાં ખાસ કરીને ઉત્તરાધ્યયન અ. ૩૫ ગા. ૮ માં સ્પષ્ટ લખ્યુ છે કે... Jain Education International ન સયં ગિહાઇ કુબ્લિજ્જા, નેવ અણ્ણહિ' કારએ, ભૂયાણુ ખ્રિસ્સએ વહેા. ૮, ગિહુકમ્મસમાર ભે, 22 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy