SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો [ ૧૧૩ જવાબ:—શાસ્ત્રકાર ન તો કૂલમાળા પહેરવાની આજ્ઞા આપે છે, ન મિતીઓની માળાની, પણ વધ-ઘટ પાપને જવાબ આ પ્રકારે છે. પન્નવણા વગેરે સૂત્રમાં ફૂલેમાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા જીવ પણ બતાવ્યા છે. મોતીઓમાં વધારે જીવ નથી બતાવ્યા. આથી સ્પષ્ટ છે કે ફૂલમાળામાં વધુ પાપ છે. નિશીથ સૂત્રના ૧૦ મા ઉદ્દેશમાં લખ્યું છે કે જે સાધુ અનંતકાય-સંયુક્ત આહાર કરે, કરાવે કે અનુદે (સમર્થન આપે), તે ગુરુચીમાસી (૧૨૦ ઉપવાસ) પ્રાયશ્ચિત આવે છે અને નિશીથનાં બારમા ઉદ્દેશમાં લખ્યું છે કે પ્રત્યેકકાય. સંયુક્ત ભેજન કરે, કરાવે, અનુદે તે લઘુચીમાસિક (૧૦૫ ઉપવાસ)નું પ્રાયશ્ચિત આવે છે, આથી સિદ્ધ છે કે અનંતકાયિકનું પાપ વધારે છે. આનાથી પ્રાયશ્ચિત વધારે થયું. ફૂલ અનંતકાયવાળા પણ હોય છે. એક દિવસ પહેરેલી ફૂલની માળા લગભગ બીજા દિવસે કામમાં ન લેતાં, રોજ નવી કામમાં લેવાય છે. આ રીતે કરવાથી જીંદગી સુધી કેટલી ફૂલમાળાઓ અને કેટલાં ફૂલોનાઅનંતકાયિકની વિરાધના (નાશ) થાય છે? બીજી તરફ મોતીની એક જ માળા પેઢીએ સુધી કામમાં આવતી રહે છે. આ રીતે મોતીમાળા કરતાં ફૂલની માળામાં પાપ વધુ લાગે છે. શંકા–મતી છીપમાં થાય છે અને છીપ બેઈન્દ્રિયગ્રસ જીવ છે. લેભનાં કારણે ત્રસ જીવને મારીને મેતી કઢાય છે, એટલા માટે ખેતીની માળામાં વધુ પાપ કેમ ન મનાય? સમાધાન-ફૂલેમાં પણ બેઈન્દ્રિય વગેરે અનેક જીવ હોય છે અને તિરછા-લકના પાણીમાં તે બેઈન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિ સુધીનાં જીવ હોવાનું શાસ્ત્રકારોએ બતાવ્યું છે. ફૂલેનાં છોડને સીંચવાને માટે પાણીની નિવારી ન શકાય તેવી જરૂરીયાત હોય છે અને છોડને ખાતર પણ દેવાય છે, ખાતરમાં પણ બેઈન્દ્રિય વગેરે જીવ હોય છે, તેથી તેમાં રસ જીની વિધિના તે બહુ વધારે થાય છે. ત્રસ જીવેની વિરાધના તે માળા વગેરેને કારણે થાય છે, પરંતુ મતીને સંગ્રહ તે માળા વિના પણ (ધનના રૂપમાં કરાય છે. ફૂલની માળા પહેરવાવાળા અનુકૂળતા હોય, તે મોતીની માળા અથવા મોતીને સંગ્રહ કરે છે. આ રીતે મોતીનું પાપ તે નથી શકાતું પરંતુ ફૂલોની વિરાધના તે ચાલુજ રહે છે. શંકા–“મુછા પરિગ્રહે વત્તો—આ વાક્યથી મૂછજ (મમત્વ) પરિગ્રહ છે અને આ મૂછ મૂલ્યવાન મતીઓમાં હોય છે, ફૂલોમાં નહિ, એટલા માટે મિતીની માળામાં વધુ પાપ કેમ ન મનાય ? સમાધાન-ફૂલની માળા પહેરવાવાળા પણ મોતીની માળાનો સંગ્રહ કરવા ઈચ્છે છે અને અનુકૂળતા હોય, તે રાખે છે. આટલા માટે મમત્વ (મૂછ) તે ચાલુ રહે છે. ઊલટું ફૂલેનું સ, ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy