SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ] સમર્થ–સમાધાન જવાબ :–મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યની અવગાહના સદાને માટે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ સુધીની અને સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્તથી લઈને ઉત્કૃષ્ટ કરેડ પૂર્વ સુધીની હોય છે. ત્યાં પણ કેટલાય જીવ તે ગર્ભમાં જ મરી જાય છે, કેટલાંક જન્મ સમયે અને કેટલાય એક બે દિવસના થઈને અને કેટલાય કરેઠ પૂર્વના આયુવાળા પણ હોય છે. અવગાહના અને સ્થિતિ ત્યાં પણ એક સરખી નથી. મહાવિદેહમાં આવી અવસ્થા હંમેશાં રહે છે. ત્યાં બીજા દસ ક્ષેત્રોની જેમ ફેરફાર નથી થતા. નિશ્ચિત રૂપે જ્ઞાની કહે, તે જ સત્ય છે. પ્રશ્ન ૪૨૨ -“ભાદરવા સુદ પાને દિવસે સંવત્સરિ કરવી”—આ જાતને ઉલ્લેખ કયા શાસ્ત્રમાં છે? જવાબ –સમવાયાંગ ટીકા, નિશીથ ચૂર્ણ, કલ્પસૂત્ર ટીકા વગેરેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે અને મહાવિદેહમાં પણ સંવત્સરિ કરે છે. પ્રશ્ન કર૩ઃ–-ભીને લેટ સવારથી સાંજ સુધી રહે, તે તેમાં જીવ ઉત્પન્ન થાય છે કે નહિ? જે થાય છે તે તે કઈ જાતનાં? જવાબભીંજાયેલો (એસણા) લેટ ઘી લગાવીને કાળજીથી રાખ્યો હોય, તુ અનુકૂળ હોય, તે સવારથી સાંજ સુધીમાં જીવ ઉત્પન્ન થવાની સંભાવના નથી, જે ઋતુ અનુકૂળ ન હોય અને લેટ ખાટો થઈ જાય, તે “રસયા” (બેઈન્દ્રિય) જીવ ઉત્પન્ન થવાનો સંભવ છે. પ્રશ્ન ક૨૪:–અત્યારે પાંચમા આવશ્યકમાં લેગસ્સનું ધ્યાન કરાય છે, તે આગળ ૨૪ તીર્થકર થયા, તેઓ પાંચમા આવશ્યકમાં તેનું ધ્યાન કરતા હતા? જો તેઓ અન્ય પાઠને ધ્યાનમાં ઉપગ કરતા હતા, તે તે જ પાઠ કેમ ન રાખે, તેમાં ફેરફાર કેમ કરાય? જવાબ –ચાર જ્ઞાનવાળા, છદ્મસ્થ તીર્થકરોને આ પ્રકારનું પ્રતિક્રમણ કરવાની કેઈ આવશ્યક્તા નથી હોતી. તેથી કોઈ પણ તીર્થકર વર્તમાન કાળની માફક પ્રતિકમણ ન કરતાં, પરંતુ તીર્થકરોનાં સાધુ–સાવી પ્રતિ કમણ કરે છે. ભારત અને ઐવિત ક્ષેત્રના ૨૪ માંથી જેટલા તીર્થંકર થયા હોય, તેમનાં ગણધર તેટલા તીર્થકરોના લેગસ બનાવી દે છે. વીસમા તીર્થંકરના તીર્થમાં ૨૪ તીર્થકરને ઉલ્લેખ થઈ જાય છે. મહાવિદેહ. ક્ષેત્રમાં પ્રત્યેક વિજયમાં જે તીર્થંકર ભગવાનનું તીર્થ ચાલુ હોય, તે એક તીર્થકરનો જ ઉલલેખ થાય છે, ત્યાંના સાધુ તેમનું ધ્યાન કરે છે. લેગસ્સના પાઠમાં તીર્થકરનાં નામનું અંતર રહે છે, બાકી આગળ પાછળ પાઠ એમ ને એમ રહે છે. પ્રશ્ન ક૨૫ –ફલે અને મોતીઓની માળામાંથી, કઈ માળાનાં વપરાશથી વધારે પાપ લાગે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy