SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૧૧૧ બાવીસ અભક્ષમાં “અચાર” (અથાણું) પણ છે, પરંતુ વ્યવહારસૂત્રના ૯મા ઉદ્દેશને જેવાથી અથાણું વગેરે અચિત આંબનું ફળ (કેરી) લેવાનું સાબિત થાય છે. વિદલ (કર) પણ અભક્ષમાં મનાય. પરંતુ આનંદજી વગેરે શ્રાવકોએ “ઘેલબડે ” (દહીંવડા) રાખ્યા છે. રાત્રિભેજન પણ અભક્ષમાં માન્યું છે, પરંતુ રાત્રિ–ભજનનો ત્યાગ વિના શ્રાવક હોઈ જ નથી શકતે એવી માન્યતા નથી. હા, પાંચમી પ્રતિમાનું આરાધન કરતી વખતે તે જરૂર ત્યાગવું પડે છે. અફીણ પણ અભક્ષ માન્યું છે, પરંતુ કારણવશાત્ સાધુ પણ લઈ શકે છે. આ રીતે શાસ્ત્રના પ્રમાણે ઉપર વિચાર કરતાં બધાં અભક્ષોની સમાનતા ટકી શકતી નથી. પ્રશ્ન ૪૧૯–તીથકનાં જન્મનાં ઉત્સ, મેરુ પર્વતનાં કયા વનમાં કરાય છે? જવાબ: –મેની ઉપર જે ચોથું ખંડકવન છે, તે વનમાં ચૂલિકાથી ચારે દિશામાં મહોત્સવ કરવાની ચાર શિલાઓ છે. તેમાંથી દક્ષિણની શિલા ઉપર ભરતક્ષેત્રનાં તીર્થકરેને અને ઉત્તરની શિલા ઉપર એરવત ક્ષેત્રના, પૂર્વની શિલા ઉપર પૂર્વ મહાવિદેહ તથા પશ્ચિમની શિલા ઉપર પશ્ચિમ મહાવિદેહનાં તીર્થંકરનાં જન્મ-મહોત્સવ થાય છે. પ્રશ્ન ૪૨૦ઃ–પહેલાંના સમયમાં મુનિરાજ જહાજમાં બેસીને નદી પાર કરતા હતા, તે અત્યારે સહજ રીતે ચાલતી રેલગાડીમાં બેસે, તે શું વધે છે? જવાબ –શાસ્ત્રોએ કહેલ કારણની હાજરીમાં, યોગ્ય વહાણ (નાવડી) મળે, તે રીત અનુસાર મુનિ, વહાણમાં (નાવડીમાં બેસી શકે છે, જહાજમાં બેસી નથી શકતા. જે પૃથ્વી પર થઈને જવાનો રસ્તે હેય, તે મુનિએ નાવમાં નહિ બેસવું જોઈએ. એક કે અર્ધા જોજન પૃથ્વી ઉપર ચાલવામાં ઓછો સમય નાવથી જવામાં લાગે, તે પણ સાધુએ નાવમાં બેસવું જોઈએ નહિ. જે આટલા સમયથી પણ ઓછો સમય લાગે અને પાણીને પાર કરવાની જરૂરત હેય તે પહેલાં કહેલ થોડીવાર માટે વિધિ પ્રમાણે તેવી નવડમાં બેસી શકે છે. - જ્યાં રેલગાડી ચાલે છે, ત્યાં જમીનને રસ્તો છે જ અને પુલ વગેરે પણ હોય છે. એટલા માટે ત્યાં તે પાણીને નાવથી પાર કરવાની જરૂરત નથી રહેતી. તેથી મુનિ માટે રેલગાડીમાં બેસવાને પ્રશ્ન તો ઉત્પન્ન જ ન થ જોઈ એ. નાવમાં પણ વધારે વખત સુધી નથી બેસતા, છેડો સમય પણ લાચારીને વશ થઈને બેસે છે, પછી રેલગાડીમાં બેસવાનું તે કઈ કારણ જ નથી. પ્રશ્ન કર૧ –મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યની અવગાહના ૫૦૦ ધનુષ અને આયુષ્ય કોડ પૂર્વનું જ હશે, બીજા દસ ક્ષેત્રની જેમ ત્યાં વધ-ઘટ નહિ થતી હેાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy