SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો [ ૧૦૯ જવાબ –લેએ” શબ્દથી મનુષ્ય લેક, ઊંચા, નીચા અને તીર્થો--આ ત્રણ લોક અને સંપૂર્ણ લેક સમજવું જોઈએ. તેનાં જુદા-જુદા અર્થ આ પ્રકારે છે. (૧) કેવળ કેઈ એક ગ૭નાં અથવા ભરત વગેરે કઈ એક ક્ષેત્રનાં અથવા સુષમા વગેરે અમુક કાળનાં જ સાધુ ન લેતાં, સંપૂર્ણ મનુષ્ય લેકનાં સાધુ સમજવા જોઈએ. (૨) મેરુ પર્વત વગેરેની ઉપર રહેલ, સલીલાવતી વિજ્ય વગેરેમાં (નીચે રહેલા) અને જમ્બુદ્વીપ વગેરે તિછ (આડા) રહેલા, આ રીતે ત્રણે લોકના સાધુ. (૩) કેવળી-સમદઘાતનાં ચોથા સમયે સંપૂર્ણ લેકમાં તેમના પ્રદેશ થઈ જાય છે. આ અપેક્ષાથી સંપૂર્ણ લેકમાં પણ સાધુ હોય છે. ઈત્યાદિ સ્વરૂપ “એ” શબ્દથી સાધુ પદનું સમજવું જોઈએ, બાકીનાં પદોને માટે ઉપર કહેલે સંપૂર્ણ અર્થ લાગુ નથી થઈ શકતે, આંશિક રૂપમાં આવી શકે છે. સવ” શબ્દથી સામાયિક વગેરે બધા ચારિત્રવાળા, પ્રમત્ત વગેરે, પુલાક વગેરે, જિનકલ્પિક, પ્રતિમા કલ્પિક, સ્થિવર કલ્પિક, સ્થિત કલ્પિક, અસ્થિત કલ્પિક, કલ્પાતીત, સ્વયં બુદ્ધ વગેરે ત્રણ, સ્ત્રી વગેરે ત્રણે વેદ વાળા, સ્વલિંગવાળા, ભરત વગેરે ક્ષેત્રના, સુષમા વગેરે કાળવાળા, ઈત્યાદિ અરિહંતેનાં બધા સાધુઓને સમાવેશ થાય છે. તથા બધા પ્રકારનાં શુભયોગનાં સાધવાવાળા, અરિહંતની આજ્ઞામાં વર્તવાવાળા દુર્નયને છોડવાવાળા, અનુકૂળ કાર્યોમાં હોશિયાર, ઈત્યાદિ વિશેષણ, સાધુ પદમાં લાગુ થાય છે. બાકીનાં ચાર પદોમાં પૂર્ણ રૂપથી લાગુ નથી થતા. તથા પાંચમા પદમાં લગાવેલ “સવ” શબ્દ સાધારણ રૂપે બધા પદોમાં સમજવું જોઈએ અને વિશેષરૂપે પાંચમા પદને માટે સમજે જોઈએ. પ્રશ્ન ૪૧૪–દીક્ષા લીધા પછી તીર્થકરોની છદ્મસ્થ અવસ્થા ઉત્કૃષ્ટ કેટલા કાળની છે? જવાબ –સંસાર ત્યાગની પછી તીર્થકરેને ઉત્કૃષ્ટ છદ્મસ્થ કાળ એક હજાર વરસને છે. પ્રશ્ન ૪૧૫ –સાધુ-વંદનાની ૯ મી હાલમાં ભા. મહાવીર સ્વામીની પાસે આઠ રાજાઓએ દીક્ષા લીધી, તેમનાં નામ આવ્યા છે, તેમાં “દશારણ ભદ્ર” રાજાનું નામ રાજાઓની શ્રેણમાં કેમ ન આવ્યું? જવાબ :–ભ. મહાવીરની પાસે દીક્ષિત થયેલ આઠ રાજાઓના નામ ઠાણાંગ સૂત્રના આઠમાં ઠાણામાં છે, તે જ નામ ૧૩ ઢાલેમાંથી ૯ મી ઢાલમાં છે. સૂત્રકારે આઠ રાજાઓના નામમાં “દશરણભદ્ર” નું નામ નથી દીધું. કદાચ દશારણભદ્રનું કઈ બીજું નામ પણ હોય અને તે બીજા નામથી ઉલ્લેખ થયે હેય, અથવા તેમણે કરકડુ વગેરેની જેમ ભગવાનની પાસે દીક્ષા ન લેતાં, સ્વતંત્ર દીક્ષા લીધી હોય, જેથી તેમનું નામ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy