SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ] સમર્થ–સમાધાન (૧૦) શ્રી બૃહદ્રકલ્પવૃત્તિ સભાષ્યના પાંચમા ઉદ્દેશમાં સૂત્ર ૩૭, ૩૮ ના ભાષ્યમાં– આનાથી રાત્રિએ પણ રાખવાની મનાઈ અને પાણીના અભાવમાં મેક (પેશાબ) નાં પ્રયોગની સિદ્ધિ થાય છે. (૧૧) કવે. મૂર્તિ પૂજક સંપ્રદાયના મુનિઓનું સંમેલન હજી થોડાં વરસે પહેલાં અમદાવાદમાં થયું હતું, તેને રીપોર્ટ “રાજનગર સાધુ સંમેલન” ના નામથી છપાયે છે. તેનાં ૧૬૬ મા પાનાંમાં ૨૨ મા દિવસની કાર્યવાહીનાં પ્રશ્નોત્તરમાં લખ્યું છે કે માણેકમુનિ-રાતનાં પાણી રાખવાની મનાઈ છે, તેને બદલે બધાં કેમ રાખીએ છીએ?” “દેવવિજયજી-પાણી રાખવું, એ કાંઈ મોટી બાબત છે? તે સિવાય મોટી મોટી બાબતેમાં ઘણા જ પરિવર્તન થઈ ગયા છે. માટે તેની વાત કરે ને ?” આ રીતે રાતે પાણી નહિ રાખવાની શ્રદ્ધા પંચાંગી (પાંચગો) ને પ્રમાણ માનવાવાળા પણ રાખે છે. - આ બધાં પ્રાયશ્ચિત વર્ણને, મનાઈ આજ્ઞાઓ તથા સાધુને “મેક સમાયા” નું વિશેષણ દેવાથી તે પાણી રાખવાની પૂર્ણ અને કઠેર મનાઈ આજ્ઞા છે, એવું સ્પષ્ટ જણાય છે. પ્રશ્ન ૪૧૨–પર્યાપ્ત બાદર વાયુકાય, ગ્રેવેયક, અનુત્તર વિમાન અને સિદ્ધશિલા સુધી છે કે નહિ? પ્રજ્ઞાપના સૂત્રના “સ્થાન પદ”માં “કમ્પ” શબ્દથી બાદર વાયુકાયનું અસ્તિત્વ બાર દેવલોક સુધી જ માનવું કે તેનાથી આગળ પણ? જવાબ :-પર્યાપ્ત બાદર વાયુકાય સિદ્ધો સુધી છે. સ્થાનપદમાં આવેલા “કલ્પ” શબ્દથી તે બાર દેવલેક જ માનવું જોઈએ, પરંતુ તેની આગળ શબ્દ “ વિમાણેસુ” શબ્દથી ગ્રેવેયકના પ્રકીર્ણક અને “વિમાણવલિયાસુ” શબ્દથી રૈવેયક અથવા અનુત્તરનાં આવલિકાબદ્ધ વિમાન સમજવું જોઈએ. આ શબ્દોની ટીકા, આ જ પદનાં પૃથ્વીકાયના વર્ણનમાં કરી છે, તે આ જ પ્રકારે છે. વિમાન તે પૃથ્વીકાયના જ છે. આ જ રીતે વાયુકાયનાં અધિકારમાં પણ સમજવું જોઈએ. આગળ ચાલતાં લેગાગાસછિદેસુ' શબ્દ પણ સ્પષ્ટ રૂપથી બતાવે છે કે લેકમાં જ્યાં પોલાર (ખાલી જગ્યા) હેય, ત્યાં બાદર વાયુકાયનું અસ્તિત્ત્વ સમજી લેવું જોઈએ. આના પછીનાં શબ્દથી લેકના ખૂણાઓમાં પણ વાયુ હેવાનું લખ્યું છે. આ બધી વાત ઉપર વિચાર કરતાં બાર વાયુકાયની હાજરી સિધ્ધ,-લેકગ્રા સુધી છે, એમ સાબિત થાય છે. પ્રશ્ન ૪૧૩ –નમસ્કાર મંત્રના પાંચમા પદમાં લે’ શબ્દ આવ્ય છે, પરંતુ બાકીનાં ચાર પદેની સાથે નથી, એનું શું કારણ છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy