SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે જવાબ –સાધુ નિર્દોષ જેટલી વગેરે સામાન્ય વસ્તુ માગી શકે છે. સ્વયં તીર્થકર ભગવાન પણ ભિક્ષા વગેરેને માટે “યાચની” (માગવાની) ભાષા બોલી શકે છે. પરંતુ ભગવાન ઋષભદેવજીએ અભિગ્રહને કારણે જ યાચના નહિ કરી હોય એવો સંભવ છે. પ્રશ્ન ૩૮૬ –બિમારીમાં મુનિરાજ, અસંયત, અવિરત અને મિથ્યા દષ્ટિથી ઓપરેશન કરાવી શકે છે અને તેમાં સદેષ પાછું વગેરે કામમાં લઈ શકાય છે અને પછી પ્રાયશ્ચિત લઈને શુદ્ધિ થઈ શકે છે, તે પ્રાણ સંકટમાં પડ્યો હોય ત્યારે સચિત્ત જળ-પાનથી આમ-રક્ષણ કરીને પછી પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થવામાં શું વિન છે? જવાબ :–સાધુઓને અસંયત વગેરેથી ઓપરેશન કરાવવાની શાળામાં બિલકુલ છૂટ નથી, ન તે સદોષ પાણી વગેરે વાપરવાની છૂટ છે. શાસ્ત્રકારે તે ઉપરનાં કાર્યોની મનાઈ બતાવી છે, તે છતાં પણ કોઈ કરે, કરાવે અને સમર્થન કરે તે તેને પ્રાયશ્ચિત આવે છે. ઉપર્યુકત કામોની છૂટ નથી તે કાચું પાણી પીવાની છૂટ તો હોય જ કેવી રીતે? અબડજી સન્યાસીના ૭૦૦ શિષ્યો, કાચું પાણી પીવાવાળા હતા, માત્ર આજ્ઞા વિના ન પીવું-એવી તેમની પ્રતિજ્ઞા હતી. તેઓ પણ પ્રતિજ્ઞા પર કાયમ રહીને સંથાર કરીને પાંચમા સ્વર્ગમાં ગયા, તે નિર્ણ-શ્રમણ તે પીએ જ કેવી રીતે? આ છતાં પણ કોઈ સચિત્ત પાણી પીએ, તે તેને પ્રાયશ્ચિત જરૂર જ આવશે. પ્રશ્ન ૩૮૮–ઘરબાર, કુટુંબ, પરિવારને ત્યાગ કરીને મુનિલમ સ્વીકાર કરાય છે, સંયમ પાળીને સ્વર્ગમાં ગયા પછી તેમને ઘર ઉપર છેડેલા દ્રવ્યની ક્રિયા આવે છે કે શું? જવાબ –દેવ અવતી છે, આટલા માટે સાધારણ રીતે તેમને સંપૂર્ણ લેક આશ્રિય કિયા આવે છે, તે જ રીતે ઘરે છોડેલાં દ્રવ્ય વગેરેની ક્રિયા પણ આવે છે. એકવાર વિરતિ થયા પછી અવિરતિની કિયા આવે તો છે, પરંતુ પહેલાં કરતાં મન્દરૂપથી. પ્રશ્ન ૩૮૮–કઈ મનુષ્ય અન્નનું ભજન કર્યું અને કેઈએ પંચેન્દ્રિય જીવના શરીરનું, (માંસનું) આ બન્નેમાં વધારે પાપ કોને લાગ્યું ? જવાબ:–માંસાહારીને, કેમકે માંસને આહાર, નરક ગતિનું કારણ છે. શ્રીસ્થાનાંગ સૂત્રમાં પંચેન્દ્રિય જવાને બદલે દસ પ્રકારના અસંયમ થવાનું બતાવ્યું છે. ઈત્યાદી વાત વિચારતાં અન્નનાં ભજનની અપેક્ષાએ પંચેન્દ્રિયના શરીરનું ભજન અધિક પાપનું કારણ છે. પ્રશ્ન ૩૮૯–દાન દેવા અને લેવા વાળાને શું લાભ થાય છે? જવાબ :–જે આ પ્રશ્ન વિશુદ્ધ ભાવથી સુપાત્ર દાનના વિષયમાં હોય, તે લેવા અને દેવાવાળા બંનેને “મુહાદાઈ મુહાવી, દો વિ ગચ્છતિ સુગઈ” સૂત્રમાંજ બતાવ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy