SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ] સમર્થ–સમાધાન શ્રેણિક વગેરે પણ પ્રભુનું નામ, વાર્તા વગેરે સાંભળીને ખૂબ જ પ્રસન્ન થતા હતા અને હંમેશાં પ્રભુની સૂચના ઈછતા હતા. ભગવંતની પાસે રહેવાવાળા સાધુ પણ દરરોજ ઓછામાં ઓછું ઉભય સંધ્યા તે-“નમુત્થણું અરિહંતાણું”થી તથા “લોગસ્સ ઉજજોયગરે” વગેરેથી ભગવાનની સ્તુતિ અને સ્મરણ કરતા હતા. પ્રશ્ન ૩૮૨– અસંયત અવિરત ભૂખ્યા-તરસ્યાને અચિત પ્રાસુક આહાર પાણી દેવા, સાવધ ચેગ છે કે નિરવધ ગ? નિરવ ગનાં સેવનથી (સામાયિકમાં દેવાથી) કઈ અડચણ આવે છે? જવાબઃ–સાવદ્ય વેગનાં ત્યાગી, સાવદ્ય ગનાં ત્યાગની પ્રવૃત્તિમાં સહાયક પ્રવૃત્તિ કરી શકે છે. અસંયત અવિરતને તે સાવઘ ગની પ્રવૃત્તિ ચાલુ જ રહે છે, તેથી એને આહાર વગેરે દેવાથી સાવદ્ય વેગનું સમર્થન પણ થાય છે. અનુકંપા ઠીક હોવા છતાં પણ સાવદ્યોગનાં ત્યાગીને આ કલ્પ (નિયમ) નથી, તેથી નથી દેતા. પ્રશ્ન ૩૮૩ –ઈશાનેન્દ્ર આગળના ભવમાં બાળતપસ્વી-મિથ્યાદષ્ટિ હતા અને અંત સુધી બાળતપસ્વી જ રહ્યા. ત્યારે તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ કયાં થઈ અને સંસાર પરિમિત ક્યાં કર્યો? ઈશાનેન્દ્રપણમાં તે તે સમ્યગૂદષ્ટિ જ રહ્યા. મનુષ્ય ભવમાં જિંદગીભર બાળતપસ્વી અને મિથ્યાદષ્ટિ રહેવાવાળા શું ઈન્દ્રના રૂપમાં ઉત્પન્ન થતાં જ સમ્યગ્દષ્ટિ થઈ જાય છે? જવાબ –તામલી બોલતપસ્વી સંથારામાં હતા, તે બલિચંચા રાજધાનીના દેવદેવીઓથી ડગાવ્યા છતાં ડગ્યા નહિ અને નિયાણું (છા, નિદાન ન કર્યું તે પછી સંથારાની અવસ્થામાં જ નિગ્રંથ મુનિઓને ઈથશેધન (નીચી નજરે જોઈને ચાલવું) કરતાં જાતે જેને પરિણામોનાં સમ્યગુ પરિવર્તનથી તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. આ રીતે, ભગવતી સૂત્રની હસ્તલિખિત પ્રતના વિશેષ અર્થમાં લખ્યું છે. જે ત્યાં સમ્યગૃષિ પ્રાપ્ત ન પણ થઈ હોય, તો પણ ઈન્દ્ર થયા પછી તરત જ થઈ શકે છે. પૂરણ તાપસના જીવ અમરેન્દ્રની જેમ. પ્રશ્ન ૩૮૪ –અનાદિ મિથ્યાત્વી મનુષ્ય ભવ સિવાય કે અન્ય ભવમાં પણ પ્રથમવાર સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે? જવાબ :–મનુષ્ય ભવ સિવાય બીજા ભવમાં પણ પ્રથમવાર સમ્યકત્વ પ્રાપ્ત કરી શકવાને ઉલ્લેખ “સમરાઈશ્ચકહા” વગેરે ગ્રંથમાં છે. પ્રશ્ન ૩૮૫ –સાધુ ગોચરી ગયા હોય, ત્યાં ભાત અને મિષ્ટાન્ન હોય અને ગૃહસ્થ દેવા પણ ઈચ્છતા હોય, પરંતુ સાધુને આ ચીજો ન લેવી હેય, તે તે આમ કહે છે કે-“મારે આ ચીજો નથી જોઈતી. જો નિર્દોષ જેટલી હોય, તે દો” આવું કહીને તે માગી શકે છે? જે માગી શકે છે, તે ભગવાન ઋષભદેવજીએ અજ્ઞાની લોકોને એમ કેમ ન કહ્યું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy