SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે ] [ ૯૭ મનુષ્ય થઈ જાય, તે પછી તેની વર્તમાન પર્યાય મનુષ્યની આવશે. આ પ્રકારે લેકનાં પદાર્થમાં જે પરિવર્તન થાય છે, તે સિદ્ધોનાં જ્ઞાનમાં આવે છે. તેમાં ઉત્પાદ, વ્યય રહે જ છે. પ્રશ્ન ૩૭૭ –જે કે વ્યક્તિ નાનાં બાળકને સાધુની ઝેળીમાં નાખી દે, તો સાધુ, તે બાળકને લઈ શકે છે? જવાબ: પૂર્વધર વગેરે વિશેષજ્ઞાની, તે બાળક સંબંધી ભૂત-ભવિષ્યની અનેક પરિસ્થિતિઓને સારી રીતે જાણતા હોય, અને તેને લેવાનું એગ્ય સમજતા હોય, તે લઈ શકે છે. પરંતુ લેવા છતાં પણ તેઓ ગૃહસ્થના રુપમાં રહેલાં તે બાળકનું પાલન-પોષણ નથી કરતા. સામાન્ય સાધુને તે આવા બાળકને મેગ્યતા વિના પ્રાપ્ત થયેલ દક્ષા દેવી જ ન જોઈએ. પ્રશ્ન ૩૭૮ –જે વ્યકિતએ ઝોળીમાં બાળકને નાખ્યું, તે બાળકને પાછા માગે તે દઈ શકે છે? જવાબ કેવળ જ્ઞાની સિવાય કે સામાન્ય સાધુની ઝોળીમાં કે બાળકને નાખે, તે તેને લેવું જ નહિ, ત્યાં જ રાખી દેવું. પછી પાછા દેવાને તે પ્રશ્ન ક્યાં રહે છે? પ્રશ્ન ૩૭૯ – જ્યાં ભાવ હોય છે, ત્યાં દ્રવ્ય હોય છે શું? જવાબ –જે ચારિત્રની અપેક્ષા પ્રશ્ન કર્યો છે, તે ભાવ-ચારિત્રની સાથે દ્રવ્ય હોય પણ છે. શ્રી ગૌતમ વગેરે મુનિવરોની જેમ અને વિના દ્રવ્ય-ચારિત્રને પણ ભાવચારિત્ર હોઈ શકે છે, શ્રી મરુદેવી માતાની જેમ. પ્રશ્ન ૩૮૦–જ્યાં ભાવ નહિ, ત્યાં દ્રવ્ય હોય છે કે શું? જવાબ:–હા, હોય છે. ઉદાયી નૃપ ઘાતકમાં ભાવ ચારિત્ર તે ન હતું પરંતુ દ્રવ્ય ચારિત્ર તો હતું જ. તથાપના અસંયત અવિરત જીવોની જેમ. જે ષટ્દ્રવ્યની અપેક્ષાએ પ્રશ્ન હોય, તે જેનામાં ભાવ છે, તેમાં જ દ્રવ્ય છે અને જેમાં ભાવ નથી, ત્યાં દ્રવ્ય નથી. પ્રશ્નની અપેક્ષા સ્પષ્ટ નથી. પ્રશ્ન ૩૮૧–ભગવાન મહાવીર વગેરેની પાસે બેસીને કેઈ સાધુ કે શ્રાવકે “મહાવીર” “મહાવીર' આ પ્રકારે નામનું રટણ-માળા ફેરવવાના રુપમાં કર્યું હતું શું ? એ ક્યાંય ઉલ્લેખ છે શું ? જવાબ :–ઉત્તરાધ્યયન, ઉવવાઈ, દશાશ્રતસ્કન્દ, આવશ્યક, ભગવતી અને જ્ઞાતા ધર્મકથા વગેરે અનેક સૂત્રમાં અરિહંતેની સ્તુતિ, ગુણકીર્તન વગેરેથી સમકિત નિર્મળ થવું, તીર્થકર ગોત્રને બંધ કરે, આભવ–પરભવમાં કલ્યાણકારી, સુખકારી, મોક્ષની આરાધના વગેરે થવાનું બતાવ્યું છે. તથાપના અરિહંત ભગવંતના નામ ગાત્ર સાંભળવાથી પણ મોટું ફળ માન્યું છે, ત્યારે નામ રટણ (મરણ) કરવાથી મોટું ફળ હેય, તેનું તે કહેવાનું જ શું ? સ, ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy