SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫ ભાગ પહેલે પ્રશ્ન ૩૭૪ સેન પ્રશ્નકાર લખે છે કે અકામ નિર્જરા વાળા વ્યંતર સુધી જ જાય છે અને બીજા પરિવ્રાજક વગેરે બ્રહ્મચર્ય વગેરેનાં પ્રભાવથી વૈમાનિકમાં પણ જાય છે. એટલા માટે આ “સકામ-નિર્જરા” છે. આ ઉવવાઈ સૂત્રથી સિદ્ધ થાય છે. શું આ ઠીક છે? જવાબ :–ખાન-પાન, ભોગવિલાસ વગેરેની ઈચ્છા હોવા છતાં પણ સામગ્રી અને અનુકૂળતાનાં અભાવમાં ખાન પાન વગેરે ન કરી શકવાને “અકામ નિર્જરા અને ઈચ્છા પૂર્વક ભાગ વિલાસ વગેરે છોડવાને “સકામ નિર્જ” આ અર્થમાં સેનપ્રક્ષકારે કહ્યું હોય તે ઠીક છે. કેમકે સમ્યકત્વી વ્રતધારીનાં સમાન કેટલાય પરિવ્રાજક વગેરે પણ વસ્તુઓનો સંજોગ હોવા છતાં પણ પરલેક સાધવાની ઈચ્છાથી ઈચ્છાપૂર્વક છોડે છે. પરંતુ આ તે સકામ-નિર્જરા નથી, જે મોક્ષ પ્રાપ્તિનાં સાધનમ્પ સમ્યગ દર્શનની સાથે હોય છે, કેમકે વિવાઈ સૂત્રે કહેલાં પરિવ્રાજક વગેરે પરલેક સાધનાની ક્રિયામાં કેટલીયે ક્રિયાઓ કરતા હોવા છતાં પણ પહેલેકનાં આરાધક બતાવાયા નથી. મિથ્યાત્વની અવસ્થામાં, જિન પ્રણીત ચારિત્રની ક્રિયા, જીવે અનંતવાર પાલન કરી, પરંતુ તે મુક્તિની નજીક ન થઈ શક્યા, તે પરિવ્રાજક વગેરેની કિયાથી કેવી રીતે થઈ શકશે? હા, ભવ્યત્વ પરિપાક અને સમ્યકત્વ અભિમુખ થતાં સમયે એવી ક્રિયાઓ જીવને કંઈક ઉજજવળ બનાવવા માં મદદ કર્તા થઈ શકે છે. પરંતુ વાસ્તવિક સકામ નિર્જરા તેમને નથી હોતી. પ્રશ્ન ૩૭૫ –શ્રાવકની સામાયિકમાં અસન, (ભજન) પાન, (પાણી) ખાદિમ (મે) સ્વાદિમ (મુખવાસ)ને ત્યાગ નથી, તે જે તે સામાયિકમાં પિતે દૂધ પીએ કે કેઈને પીવડાવે, તો શું વાંધો છે? જો દધ પીવડાવવું સાવદ્ય યુગ છે, તે તેરાપંથી અને આપણુંમાં શું અંતર છે? તેઓ અવિરતને દૂધ પીવડાવવાને સાવધ વેગ માને છે. તેઓ કહે છે કે અવિરતને દેવાતું દાન જ સાવધ છે. જે મુહપત્તી દેવાય તે પણ સાવદ્ય ! આને શું ખુલાસે છે? જવાબઃ-શ્રાવક થડા સમયની (એક મુહૂર્ત વગેરે) સામાયિક કરે છે. તેમાં પણ જે દૂધ પીવા-પીવડાવવાનું કામ કરે, તે પછી દૂધની જેમ બીજા અચિત પદાર્થ રોટલી વગેરે ખાવા-ખવડાવવામાં અને પીવા-પીવડાવવામાં શું વાંધે છે? આ પ્રકારનાં પ્રશ્નો ઉત્પન્ન થશે. જ્યારે તે થોડા સમયની સામાયિકમાં પણ પ્રપંચામાં ઉતરશે. તે સમભાવ કે આત્મચિંતન વગેરે કયારે કરશે ? એટલે કે આ પ્રપંચમાં જ તેનાં સામાયિકનાં સમયની સમાપ્તિ થઈ જશે. સામાયિક સિવાય બીજા સમયમાં તે તે સામાયિકને સમભાવ તથા આત્મ-સાધના કરી પણ નહિ શકે. પછી તેની થેડા સમયની સામાયિક કરવી સાર્થક થઈ શકશે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy