SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો તેઓ જઘન્ય ભવનપતિમાં અને ઉત્કૃષ્ટ ૧૨ મા દેવલેક સુધી ઉત્પન્ન થાય છે. તેઓ ઉત્તરગુણનાં વિરાધક જરૂર છે. તેથી સુકુમાલિકોને માટે પણ આ જ પ્રકારે સમજવું જોઈએ. જે આરાધક હોય છે, તેઓ દેવીઓમાં અને આલિયોગિક દેશમાં ઉત્પન્ન નથી થતા. તેમને દેવસંબંધી પાંચ પદવીઓમાંથી કઈ પણ પદવી પ્રાપ્ત નથી થતી. સુકુમાલિકોને સીવેદન બંધ અજ્ઞાન દશામાં (મિથ્યાત્વનાં સદ્ભાવમાં) જ થયું છે. ત્રીજા વગેરે ગુણસ્થાનોમાં સ્ત્રી વેદનો બંધ છે જ નહિ. સુકુમાલિકા પાસસ્થા પાસ0 વિહારી” વગેરે થઈ ચૂકી હતી. ટમ્બકાર લખે છે કે “જ્ઞાન વગેરેથી બાહ્ય તે પાસસ્થા” અને વળી તે દર્શન (સમ્યક્ત્વ)થી પણ બહાર થઈ ગઈ હતી. મિથ્યાત્વ અવસ્થામાં સ્ત્રી વેદને બંધ થયાનું માનવું જોઈએ. પ્રશ્ન ૩૭૧ –પુલાક, બકુશ અને પ્રતિસેવના-કુશીલ, આ ત્રણે નિયંઠામાં (જે મૂળ ગુણ અને ઉત્તર ગુણનાં પ્રતિ એવી છે) વ્રણ શુભ લેશ્યા જ છે, પરંતુ કપાય કુશીલમાં જે અતિસેવી છે, છગે લેગ્યાઓ બતાવી છે. અપ્રતિવમાં ત્રણ અશુભ લેશ્યાઓ કેવી રીતે હેઈ શકે છે? જવાબ :–પુલાક અને પ્રતિસેવના કુશીલ તે મૂળ અને ઉત્તરગુણ પ્રતિ સેવી છે અને બકુશ, માત્ર ઉત્તરગુણ પ્રતિ સેવી છે. પ્રશ્નમાં ખાસ વાત લેસ્થા વિષેની છે, તેને ખુલાસો આ છે કે કષાય-કુશલનિગ્રંથ, (નિગ્રંથસાધુ) ક્યાય કુશીલત્વ પ્રાપ્તિનાં સમયે તે ત્રણ શુભ લેશ્યાઓમાંથી કેઈ એક શુભ લેસ્થામાં હોય છે, પરંતુ તેમનાં સંયમના સ્થાન “શુદ્ધિ પ્રર્યા પ્રકર્ષકૃતા ભેદા ” અસંખ્યાત હેઈને બધાથી વધારે છે. તેમાંથી કેટલાકને પ્રાથમિક સ્થાનોમાં અશુભ લેસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે, કેમકે તેમાં જઘન્ય ચારિત્રનાં પર્યાવ, બકુશ અને પ્રતિસેવનાનાં જઘન્ય ચારિત્ર પર્યથી પણ અનંત ગુણ હીન છે. જે શંકા થાય કે-જ્યારે પુલાકનાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ચારિત્રનાં પર્યાય પણ બકુશ અને પ્રતિસેવના કુશીલનાં જઘન્ય ચારિત્રનાં પર્યથી અનંત ગુણ હીન છે, ત્યારે તેમાં અશુભ લેશ્યા કેમ નથી હોતી ? ખુલાસે એ છે કે-પુલાઉપણું પણ શુભલેસ્થામાં જ પ્રાપ્ત થાય છે અને અંતમુહૂર્તથી વધારે નથી રહેતું. વિશેષ સ્થિતિના અભાવમાં શુભલેશ્યા પલટાઇને અશુભ લેસ્થાનું આગમન નથી થતું, એટલા માટે શુભલેશ્યા જ રહે છે, પરંતુ કષાય કુશીલની સ્થિતિ છેડા ઓછા કરડ પૂર્વ સુધી જ છે, તેથી તેમાં અશુભ લેડ્યાનું આગમન પણ થઈ શકે છે. બકુલ અને પ્રતિસેવન કુશીલની સ્થિતિ પણ થોડા ઓછા કરઠ પૂર્વ સુધી જ છે, પરંતુ તેમનાં જઘન્ય ચારિત્રનાં પર્યાય, પુલાકનાં જઘન્ય તથા ઉત્કૃષ્ટ પર્યથી અને કષાય કુશીલનાં જઘન્ય પર્યથી અનંત ગુણ વધારે છે. એટલા માટે તેમનામાં સ્થિતિ વઘુ હોવા છતાં પણ અશુભ લે નથી આવી શકતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy