SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૮૯ અંગરક્ષક દેવ અને અન્ય અનેક દેવો પણ તેમની સેવામાં રહે છે. એટલા માટે ખંડ સાધવાની વિધિ જાણવામાં અડચણ નથી આવતી. પ્રશ્ન ૩૬૦ –નવ નિધાન ચક્રવતીનાં પગની નીચે કયા પ્રકારે હેય છે? જવાબ :–નિધાન આરાધનાની પછી, ચકવર્તીની નીચે ભૂમિમાં ચાલતાં રહીને ચકવર્તીની નગરીની બહાર આવી જાય છે, તેમનું મુખ તે શ્રીધર સુધી કહેવાય છે અને ચકવતનું ઘુમવાનું પણ નિધાની ભૂમિ પર થયા કરે છે. પ્રશ્ન ૩૬૧ –જીવ, નારકી અને દેવતામાં કેટલા જ્ઞાન અને અજ્ઞાન લઈને જાય અને નીકળે? જવાબ :–પ્રથમ નરક તથા ભવનપતિ કે વ્યંતરમાં જે અસંજ્ઞી જીવ જાય તે બે અજ્ઞાન લઈને જાય અને સંજ્ઞી જાય તે ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન લઈને જાય. બીજી નરકથી છઠી નરક સુધી અને તિષિથી શ્રેયક સુધી જાય, તે ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન લઈને જાય, સાતમી નરકમાં ત્રણ અજ્ઞાન લઈને જાય, અનુત્તર વિમાનમાં ત્રણ જ્ઞાન લઈને જાય. પહેલીથી ત્રીજી નરક તથા પ્રથમ દેવકથી શૈવેયક સુધીનાં જીવ અજ્ઞાન લઈને આવે તે બે અને જ્ઞાન લઈને નીકળે તે બે કે ત્રણ, ચોથીથી છકી નરક અને ભવન પતિ, વ્યંતર અને તિષિનાં જીવ બે જ્ઞાન કે બે અજ્ઞાન લઈને નીકળે છે, સાતમી નરકનાં જીવ, બે અજ્ઞાન લઈને નીકળે છે અને અનુત્તર વિમાનથી બે કે ત્રણ જ્ઞાન લઈને નીકળે છે. પ્રશ્ન ૩૬૨–તેજસૂકાય અને વાયુકાયનાં જીવ ત્યાંથી મારીને મનુષ્ય કેમ નથી થતા? જવાબ –ત્યાં મનુષ્ય આયુ બંધને એગ્ય અધ્યવસાયને જ અભાવ છે. પ્રશ્ન ૩૬૩–શૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવામાં પાંચ પ્રકારની સમુઘાત થવાને ભગવતી સૂત્રમાં ઉલ્લેખ છે, જ્યારે કે જીવાભિગમમાં ત્રણ પ્રકારની લખી છે. આ વિભેદનું શું કારણ છે ? જવાબ – ભગવતી સૂત્રમાં પાંચ પ્રકારની સમુદ્દઘાતને ઉલેખ છે, તેમાં વૈકિય અને તેજસ્ સમુઘાત તે માત્ર લબ્ધિની અપેક્ષાથી જ છે. આ બે સમુઘાત તે દેવેની થઈ નહિ, થાતી નથી અને આગળ (ભવિષ્યમાં) પણ નહિ થાય, એ સ્પષ્ટ ઉલ્લેખ ભગવતીજીનાં મૂળ પાઠમાં છે. જીવાભિગમમાં તે ત્રણ સમુદ્દઘાતોનું વર્ણન છે, જે તેમને થાય છે. આ પાઠથી આગળ ચાલતાં તેમની વિમુર્વણા શક્તિનું પણ વર્ણન છે, પરંતુ તેમણે વૈક્રિયરૂપ કર્યું નહિ વગેરે પણ લખ્યું છે. એટલા માટે બંને વાતમાં માત્ર અપેક્ષા ભેદ છે, વાસ્તવિક ભેદ નથી. સ, ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy