SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન દેવભૂમિનાં, સુષમાસુષમથી પણ વધારે ઉત્તમ છે, એટલા માટે અહીંયાની ભૂમિ સાથે મિલાન (સરખામણી) નહિ કરવી જોઈએ. પ્રશ્ન ૩૪ર -દ્રવ્યની અનુકૂળતા ન હોવા છતાં પણ ભાવ થઈ શકે છે કે નહિ? જવાબ –થઈ શકે છે. પ્રશ્ન ૩૪૩–આઠમા અને નવમા ગુણસ્થાનકમાં શું અંતર છે ? જવાબ:–બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાની પ્રકૃતિઓનું અંતર છે. તથા આઠમાં ગુણસ્થાનમાં એક સમયમાં જાવાવાળા અનેક જીના અધ્યવસાયમાં નિવૃત્તિ (અસમાનતા) રહે છે, ત્યારે નવમા ગુણસ્થાનમાં એક સમયમાં જાવાવાળા જેનાં અધ્યવસાયમાં અનિવૃત્તિ (સમાનતા) રહે છે. વગેરે વગેરે અંતર બંને ગુણ સ્થાનેમાં છે. પ્રશ્ન ૩૪૪ –યથાખ્યાત-ચારિત્ર અને અસંયમ, એક સ્થાનમાં કયાં મળે છે? જવાબ:–કાશ્મણ યુગમાં અને શ્રોતેન્દ્રિયના અબઢિયામાં પણ આ રીતે ચહ્યું, ઘાણ અને રસેન્દ્રિયનાં અબદ્ધિયામાં પણ સમજવું. પ્રશ્ન ૩૪૫ –અઠ્ઠાવીસ પ્રકારની લબ્ધિમાંથી અભવ્યને કેટલી લબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે? જવાબ:–અભવ્યને નીચે લખેલ તેર લબ્ધિમાંથી એક પણ લબ્ધિ પ્રાપ્ત નથી થાતી. ૧ અરિહંત ૨ ચકવર્તી ૩ વાસુદેવ ૪ બલદેવ ૫ સંભિન્ન શ્રોત ૬ ચારણ (જંઘા ચારણ વિદ્યાચારણ) ૭ પૂર્વધર ૮ ગણધર ૯ પુલાક ૧૦ આહારક ૧૧ કેવળી– ૧૨ બાજુમતિ અને ૧૩ વિપુલમતિ. ઉપરની તેર લબ્ધિઓને છેડીને બાકીની ૧૫ લબ્ધિઓ થાય છે. અને અભવ્ય સ્ત્રીઓમાં “મધુક્ષીરાશ્રવ” લબ્ધિ પણ નથી હોતી. આટલા માટે તેઓમાં ૧૪ લબ્ધિઓ જ હોય છે. પ્રશ્ન ૩૪૬–ભગવાને મેરૂ પર્વતને અંગૂઠાથી હલા, આ વાત કયા સૂરમાં છે? જવાબ –મૂળ સૂત્રમાં તે જોવામાં નથી આવી, પણ ગ્રંથમાં છે. તેમ તે ભગવાન અનંત બળવાન હતા. જ્યારે એક દેવ પણ આખી પૃથ્વીને હલાવી શકે છે, તે ભગવાનનાં બળનું તે કહેવું જ શું ? પ્રશ્ન ૩૪૭ –“ ઉપશમ સમ્યકત્વ અને “ઉપશમ માં શું ફેર છે? જવાબ:–ઉપશમ સમકિત, ઉપશમ કે, ઉપશમ માન વગેરે ઉપશમનાં અનેક ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy