SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ સમાધાન જવાબ:–જીવના પ્રદેશ અલગ અલગ ગણનારૂપ છે, ત્યારે જ તે એક જીવના પ્રદેશ, ધમસ્તિ, અધર્માસ્તિ તથા લોકાકાશના પ્રદેશની બરાબર છે, તથા પ્રત્યેક જીવના પ્રદેશ કૃતયુગ્મ બતાવ્યા છે અને મરણાન્તિક સમુદઘાતમાં પણ પ્રદેશગમન આગમન કરે છે. વિક્રેય રૂપમાં પણ અનેક પ્રદેશ મેળવાય છે. તથા આહારક વગેરે સમુદઘાતમાં પ્રદેશ જુદા જુદા હોવાથી જ બહાર કાઢી નખાય છે અને કેવળી સમુદઘાતમાં તે લોકનાં સમસ્ત પ્રદેશ ઉપર કેવળી પિતાના એક એક પ્રદેશ રાખીને ચોથા સમયમાં સંપૂર્ણ લોકને ભરી દે છે. તેથી અપેક્ષાકૃત ભેદાર્થ વિવેક્ષાથી આત્મ-પ્રદેશ જુદા જુદા છે, પરંતુ પરમાણુની જેમ અત્યંત સર્વથા ભિન્ન નથી. પ્રશ્ન ૩૩ર :–અવધિ દર્શનની સ્થિતિ બે દ૬ (૧૩૨) સાગરોપમ ઝાઝી કેમ સમજવી? જવાબ:–બારમા દેવલેકમાં તથા રૈવેયકમાં જે મનુષ્ય વિભંગ શાને લઈને જાય, ત્યાંથી અવધિ લઈને પાછો મનુષ્યમાં આવે, આવા ત્રણ ભવ બારમાં સ્વર્ગના તથા પ્રથમ રૈવેયકના કરવાથી ૬૬ સાગર વધારે વિભંગની સાથે અવધિ દર્શનનાં થયાં. ફરી અનુત્તર વિમાનનાં ૩૩ સાગરના બે ભવ કરે, કે રૈવેયક વગેરેના ત્રણ ભવ કરવાથી અવધિજ્ઞાનની સાથે ૬૬ સાગર વધારે થયા. આ રીતે બે ૬૬ સાગર તથા મનુષ્યભવની સ્થિતિ ગણવાથી વધારે થઈ જાય છે. આ પ્રકાર મને ઠીક લાગે છે, પરંતુ ટીકાકાર કંઈ બીજા રૂપમાં અર્થ કરે છે. પ્રશ્ન ૩૩૩ –પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ, આ જુદીજુદી નિશાની (સંજ્ઞા) કેમ દેવાણું? જવાબ:–સામાન્યપણે, દરેક સંસારી જીવને આ ચારે વિશેષણો લાગી શકે છે. ભગવતી શ. ૨ ઉ. ૧ તથા આચારાંગની ટીકામાં જુદા જુદા શબ્દોની વ્યુત્પત્તિ, સમભિરૂઢનયથી કરી છે અને વિશેષ પ્રકારથી તેની જુદી જુદી સંજ્ઞા પણ કાયમ કરી છે. પ્રશ્ન ૩૩૪ –વર્તમાન કેન્દ્રને પૂર્વ-ભવના કાતિક શેઠના દાખલાથી હજારો આંખવાળા’ કહ્યા, તે બધા કેન્દ્રો આવા જ હોય છે? જવાબ:–કાર્તિક શેઠન દાખલે હજાર આંખના વિષયમાં નથી, કારણ કે કાતિક શેઠના ગુમાસ્તા તે ૧૦૦૮ હતા, જેમને ૨૦૧૬ આંખો હતી. કેન્દ્રને ૫૦૦ દેવ મસ્ત્રી હોય છે, જેમને ૧૦૦૦ આંખો કેન્દ્રનાં પ્રોજન (હેતુ)માં લાગી હોય છે, તેથી તેને સહસ્રાક્ષ કહ્યા છે અને આ વિશેષણ બધા કેન્દ્રોને લાગુ પડે છે. પ્રશ્ન ૩૩પ –અનંતાનુબંધીને ક્ષય થઈ જવા પછી ઉદય થાય છે શું? જવાબ –નહિ, પરંતુ વિયેજના થવા પર ઉદય થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy