SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે | [ ૮૩ પ્રશ્ન સરદા–સમ્યગ્દષ્ટિ જીવતે જ ભવમાં મિથ્યાષ્ટિ થઈ શકે છે શું? જવાબ –હા, જીવને એક ભવમાં સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ, જઘન્ય એકવાર ઉત્કૃષ્ટ પ્રત્યેક હજાર (નવહજાર) વાર આવી શકે છે, એકાંત સમ્યગદષ્ટિને તે જ ભવમાં મિથ્યાત્વની પ્રાપ્તિ નથી થઈ શકતી. પ્રશ્ન ૩ર૭ –લોકમાં જેટલા પુગલ છે, તેમને જીવે આહારરૂપમાં ગ્રહણ કરીને છેડડ્યા કે નહિ? જવાબ –ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસુ, કામણ, શ્વાસે શ્વાસ, ભાષા, મન અને અગ્રાહ્ય વગેરે બધા વર્ગનાં પુદ્ગલેનાં ધીરે ધીરે કાળકમથી વર્ગણાન્તર થવાને સ્વભાવ છે. પૃથ્વી પિંડ, પ્રતર, વિમાન, મેરૂ વગેરે, પહાડો અને સિદ્ધ શિલાના પરમાણુ પણ હંમેશાં તે જ રૂપમાં નથી રહેતાં. ધીરે ધીરે તેમનામાંથી પણ પુદ્ગલેનાં ગમન– આગમન (વર્ગણોત્તર સ્વરૂપ) થવાનું ચાલું રહે છે. જ્યારે બધાં પુદ્ગલ પ્રત્યેક વર્ગણરૂપ થઈ જાય છે, ત્યારે જીવ બધા પુદ્ગલેને આહારના રૂપમાં લઈને છેડે, તેમાં કોઈ બાધા નથી લાગતી. પ્રશ્ન ૩ર૮ –આહાર, પુરુષને માટે ૩ર કવલપ્રમાણે, સ્ત્રીને ૨૮ અને નપુંસકને ૨૪ કવલપ્રમાણ માન્યો છે, તો શું બધાને માટે આ પ્રકાર સમજવો? જવાબઃ—આના ખુલાસા તે ટીકામાં ઘણું દીધા છે, પરંતુ ટૂંકમાં એમ કે જેટલા આહારથી સાધારણ તૃપ્તિ થઈ જાય, બુદ્ધિની સ્કૂરણ ચાલુ રહે, આ પ્રકારના પરિમિત રાકનાં ૩ર મા ભાગને તેને માટે એક કવલ પ્રમાણે સમજવું જોઈએ. ૩ર કવલ પ્રમાણ આહારને પૂર્ણ આહાર (મિત આહાર) સમજવું જોઈએ. તથા વિકાર વગેરેની શાંતિને માટે સ્ત્રીને ૨૮ અને નપુંસકને ૨૪ સમજવું જોઈએ. પ્રશ્ન ૩ર૯ –જ્યારે જીવના શુલેશ્યાના પરિણામ વર્તતા હોય ત્યારે તેનાં કેટલા કમને બંધ થાય છે? જવાબ –૭, ૮, ૬ તથા એક કર્મને પણ બંધ થઈ શકે છે. પ્રશ્ન ૩૩૦ –ભરત મહારાજ પિતાની બહેન બ્રાહ્મીસુંદરી ઉપર મુગ્ધ થઈ ગયા અને લગ્નની ઈચ્છા કરી, આ વાત શાસ્ત્રોએ કહેલી છે શું? જવાબ –સુંદરી ભરત મહારાજની તથા બ્રાહ્મી બાહુબલીજીની પત્નિ છે, એવું ટીકાકાર કહે છે, તથા કથાઓમાં પણ ઉલ્લેખ છે, પરંતુ શામાં ક્યાંય જોવામાં નથી આવ્યું. પ્રશ્ન ૩૬૧:–જીવના એક એક આત્મપ્રદેશ ઉપર આઠે કર્મોની આવેડી પડી (આવરણ, પરદે) અનન્તી અનનતી છે, તે શું આત્માના પ્રદેશ અલગ અલગ છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy