SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો [ ૮૧ જવાબઃ—જે ગામ વગેરેમાં મહા પુરુષનાં પગલાં થાય છે, ત્યાંના રહેવાસીઓને, મુક્તિ માર્ગ પ્રાપ્તિ, ધર્મની વૃદ્ધિ વગેરેને શુ સંજોગ પ્રાપ્ત થાય છે, જે મહાન અભ્યદયનું કારણ છે તથા ની અપેક્ષાએ મનુષ્યને પણ ગ્રામ વગેરે કહી શકાય છે. આટલા માટે આ ધન્યવાદ ઉચિત જ છે. પ્રશ્ન ૩૧૪ –અઠ્ઠી દ્વીપની બહાર પૃથ્વીને સ્વાદ કે છે અને ત્યાં ક્યા આરાને ભાવ ચાલે છે (વરતે છે)? જવાબ:--ભગ ભૂમિની પૃથ્વીની સમાન વિશિષ્ટ રસ, અઢી દ્વિીપની બહારની પૃથ્વીને નથી એ “સેન પ્રશ્નમાં ઉલ્લેખ છે. દુષમ અને સુષમ આરાની જેમ ત્યાં પણ અંતમુહૂર્તથી કોડ પૂર્વ સુધીના નાના પ્રકારનું આયુષ્ય, નાના પ્રકારની અવગાહના, વિવિધસંહનન (સંઘયણ), તથા અનેક જાતનાં સંસ્થાન છે. નરક વગેરે ચતુર્ગતિમાં ગમન વગેરે ત્યાંથી પણ થાય છે, પરંતુ આરાની સમાનતા ત્યાંથી કેવી રીતે કહેવાય ? પ્રશ્ન ૩૧૫ –અસંજ્ઞી તિયચની સ્થિતિ ૮૪૦૦૦ વરસની બતાવી, તે કર્મભૂમિની અપેક્ષાથી છે કે અહી દ્વીપ બહારની છે? જવાબ –અઠ્ઠી દ્વીપ બહાર કે અંદર અસંજ્ઞી તિર્યંચની ૮૪૦૦૦ વરસની સ્થિતિ હવામાં કઈ બાધા જાણ નથી. પ્રશ્ન ૩૧૬ –સાતમાં ગુણસ્થાનવાળા જીવ પ્રમાદ વગરનાં હેય છે, પરંતુ “કષાય પ્રમાદથી તેઓ કઈ રીતે રહિત થઈ શકે છે? જવાબઃ–પ્રતિસંલિનતાની માત ઉદય નિરોધ અને વિકલીકરણ કરવાથી તેઓ કષાયને સફળ થવા દેતા નથી અને સતત રૂપથી આત્મ ચિંતન વગેરે શુદ્ધ વિચારોથી ઉદિત કષાયને નિષ્ફળ કરતા રહે છે, એટલા માટે તેમને અપ્રમત કહેવા બધી રીતે ઉચિત છે. પ્રશ્ન ૩૧૭–પષધ કર્યા વિના શ્રાવક, નિત્યનાં પ્રતિકમણમાં પૌષધના અતિચાર કેમ કહે છે? જવાબ –જે રીતે સંલેષણ કર્યા વિના જ સંલેષણનાં અતિચાર કહે છે, તે જ રીતે પૌષધના પણ કહે છે. શ્રદ્ધા, પ્રરૂપણું તે છે જ, શ્રાવક કહે પણ છે, “આ વ્રતની શ્રદ્ધા પ્રરૂપણ રૂપ છે, પરંતુ સ્પર્શના કરું ત્યારે શુદ્ધિ.” આ અતિચારોનાં ચિંતન સ્વાધ્યાય રૂપ પણ છે. પરિચિત રહેવાથી અવસરે તુરત જ ધ્યાનમાં આવી જાય છે. સ્વપ્નમાં પૌષધ કરેલે પિતાને માને અને તેમાં દુષણ લાગે, તે પણ અતિચાર મારફત આલેચના થઈ જાય છે. પ્રશ્ન ૩૧૮ઃ સમ્યગૃષ્ટિને એક ભવ આશ્રય મિથ્યાદાણ આવે છે? જવાબ –એક કે અનેક ભવ આશ્રય મિથ્યાદષ્ટિ આવી પણ શકે છે. સ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy