SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ وق સમર્થ-સમાધાન જવાબ-આકાર વિશેષને સંસ્થાન કહે છે. અજીવનાં પર્મિષ્ઠલ વગેરે પ૩૬ સંસ્થાન હોય છે. પ્રશ્ન ર૮–કપાય-સમુદઘાત કેને કહે છે? જવાબ :–કષાય-ચારિત્ર મેહનીય કર્મના આશયથી કષાય-સમુદ્દઘાત થાય છે. કષાયના ઉદયથી સમાકૂલ જીવ પ્રદેશને બહાર કાઢે છે. કષાયરૂપ મેહનીય કર્મના પ્રદેશ જે આત્માની સાથે લાગેલા છે અને કાલાન્તરમાં અનુભાવમાં આવવાને એગ્ય છે, તેને એકાગ્રતાથી પ્રબળતા પૂર્વક, ઉદીરણું કરણથી આકષીને, ઉદયાવલિકામાં પ્રક્ષિપ્ત કરે અને અનુભવ કરીને નિર્જરે, તેને “કષાય સમુદ્દઘાત” કહે છે. પ્રશ્ન ર૯મરણબ્લિક સમુદઘાત અને સમયા મરણમાં શું અંતર છે? જવાબ:–મરણબ્લિક સમુદ્દઘાત, અંતર્મુહૂર્ત પ્રમાણ આયુ બાકી રહેવાથી થાય છે, આ સમુદ્દઘાત એક જીવ એક અથવા બે વાર પણ કરી શકે છે. જે બે વાર સમુઘાત કરે છે, તેની પહેલીવારની સમુદ્યાત મરણ ન્તિક સમુદુઘાત જ કહેવાય છે અને બીજીવારની સમદુઘાત કરીને મૃત્યુને પ્રાપ્ત થાય છે, તે “સમયમરણ” પણ કહેવાય છે. એક વાર મરણબ્લિક સમુદ્દઘાત કરીને મૃત્યુને પ્રાપ્ત થવાવાળા જીવનું પણ “સમય મરણ” કહેવાય છે. (“મરણ સમુદ્દઘાત” આયુકર્મને એકાગ્રતા પૂર્વક ઉદીરણ યુકત વેદીને નિર્જશ કરવાની દશાને કહે છે અને “સમયમરણ” આયુકર્મનાં ક્ષયને કહે છે, બંનેમાં આ જ અંતર હોવાનું સમજવામાં આવે છે.) પ્રશ્ન ૩૦૦ –ઇન્દ્રિય-સંવર અને ઇન્દ્રિય-પ્રતિસલીનતામાં શું અંતર છે? જવાબ – ધર્મ અને ધર્મ, આ જ અંતર છે, એ સ્થાનાંગ ટીકામાં ઉલ્લેખ છે. ઈન્દ્રિય-સંવર ધર્મ છે. અને ઇન્દ્રિય-પ્રતિ સલીનતા સંવરવાળે ધર્માત્મા છે. પ્રશ્ન ૩૦૧–સંવત્સરીનાં દિવસને આટલું મહત્ત્વ કેમ દિધેલું છે? જવાબ :–વિશેષ રૂપથી આત્માની શુદ્ધિ કરવાને માટે સંવત્સરીનું મહત્ત્વ છે. આવશ્યક સૂત્રની ટીકામાં બતાવ્યું છે કે અન્ય દિવસની તુલનામાં તે દિવસ (ભાદ્રપદ શુકલા પ ને-ભાદરવા સુદ પાંચમને ઘણા સંસી પંચેન્દ્રિય જીવોને પરભવના આયુષ્યને બંધ થાય છે, એટલા માટે તે દિવસે ધર્મધ્યાન, ક્ષમાપના વગેરે વિશેષ રૂપથી કરવા જોઈએ. પ્રશ્ન ૩૦૨ –અલકને દ્રવ્ય ગુણ પર્યાય શું છે? જવાબ –અલેક, અજીવ દ્રવ્ય દેશરૂપ છે. તે અનંત અગુરુ લઘુ ગુણ સંયુક્ત તથા સર્વ આકાશના અન તમે ભાગે ન્યૂન છે. તેમાં અવગાહ ગુણ તે હાજર છે. ગુણ (અગુરુ લઘુ) ની હાનિ વૃદ્ધિને પર્યાય કહે છે. વગેરે વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy