SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૭૭. પ્રશ્ન ૨૯૨ ––વેદક સમ્યકત્વની સ્થિતિ એક સમયની, કયા પ્રકારે સમજવી? જવાબ :–વેદક-ક્ષાયિક–વેદક સમ્યકત્વની સ્થિતિ એક સમયની છે. એક સમયની પછી જ લાયક–સમ્યકત્વ થઈ જાય છે. પ્રશ્ન ૨૪ –સિદ્ધાંત છે કે ચોવીસ દંડકમાં એક એક છે એક એક પુદગલ પરાવર્તન કર્યો, પરંતુ જે અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહારમાં આવ્યા, તેમણે મનઃ પુદગલ-પરાવર્તન, વચન પુદ્ગલ-પરાવર્તન, વૈકેય પુદગલ-પરાવર્તન અનંતા અનંત કેવી રીતે કર્યા? જવાબ :–ટીકાકાર કહે છે કે આ સિદ્ધાંત ઘણું જીની અપેક્ષાથી છે. તેમજ કોઈ એમ પણ કહે છે કે અવ્યવહાર રાશિમાંથી નીકળીને જે જીવ અનંત પુગલ પરાવર્તન કરી લે છે તે જીવ પૃચ્છામાં ગણાય છે, બીજા નહિ. પ્રશ્ન ૨૯૪ –પ્રાણાતિપાત ક્યા કર્મથી થાય છે? જવાબ:–પ્રાણાતિપાત મુખ્યત્વે મેહનીય કર્મથી સંબંધિત છે. એનાથી નૂતન કર્મ–બંધ થાય છે, જેમાં મુખ્યપણું અસતા વેદનીય કર્મનું હોય છે. પ્રશ્ન ર૯૫ –ભરત ચક્રવતીએ વિદ્યાધરને સાધવા માટે ૩ ઉપવાસ કર્યા, તે દક્ષિણ તરફનાં રાજાને સાધતાં, ઉત્તર દિશાના રાજા કયા પ્રકારે પ્રેરિત થયા? જવાબ:–ભરતેશ્વરે વિદ્યાધર રાજાને સાધતી વખતે દક્ષિનાં નમિરાજા અને ઉત્તરના વિનમિ-આ બંનેનું ધ્યાન કર્યું, બંને રાજાઓએ દિવ્ય-મતિથી પ્રેરિત થઈને ચક્રવતીનાં ઉત્પન્ન થવાની વાત જાણી. તેમની પાસે જાણવાનાં બીજા સાધન હોવા છતાં પણ તેમણે ભક્લેશ્વરની મનોકામના દિવ્ય મતિથી જાણી, જે પ્રકારે સધર્મ અને ઈશાન દેવલોકની દેવીઓ, ઉપરનાં સ્વર્ગોમાં રહેવાવાળા દેવનાં મગત પશ્ચિારણાના ભાવ, પિતાની દિવ્ય મતિથી જાણી લે છે, તે જ રીતે આપણે સમજવું જોઈએ. પ્રશ્ન ર૯૬ – ક્રિય શરીરવાળા અનેક રૂપ બનાવે, તે તે બધાં શરીરનાં સરખાં રૂપ અને એક જ પ્રકારનાં કાર્યો હોય છે કે જુદા જુદા જવાબ :—એક પ્રકારનાં પણ હોઈ શકે છે અને જુદા પ્રકારનાં પણું. જેવી રીતે શકેન્દ્ર પિતાનાં પાંચ રૂપ બનાવીને, એક રૂપથી તીર્થકરને હાથમાં લીધા, બે રૂપથી ચમર વીંઝતા રહ્યા, એક છત્ર ધારણ કરતા રહ્યા અને એક વા લઈને આગળ ચાલતા રહ્યા. અને સ્નાન કરાવતી વખતે ચારરૂપ વૃષભનાં બનાવીને એક જ પ્રકારનું કામ કર્યું. પ્રશ્ન ર૯૭–અવકાય સંસ્થાન કેવી રીતે સમજવા? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy