SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૭૫ જવાબ :–સ્વપ્નનાં ફળ કહેવા વાળાઓએ જે નવ મહીના અને સાડા સાત રાત્રિ બતાવી, તેનું કારણ એ છે કે તેમને દેવાનંદાજીની કુક્ષીમાંથી (કુખમાંથી) ગર્ભ લઈ જવા વગેરેની ખબર ન હતી. તેમણે ઉત્તમ પુરુષને સંપૂર્ણ ગર્ભકાળ જાણુને જ કહ્યું હતું, તેમને એ પણ જાણ ન હતી કે ગર્ભમાં તીર્થકર છે કે ચકવતી” આથી જ તેઓએ કહ્યું કે, “કાં તે જિન હશે અથવા ચકવતી હશે.” જન્મ સમયના ઉલ્લેખમાં બતાવ્યું, તે ભગવાનના ગર્ભમાં રહેવાનાં પૂર્ણ કાળની અપેક્ષાથી છે. તેઓ બંને સ્થાન પર કુલ સાડા નવ મહિના ગર્ભમાં રહ્યા હતા. તેમ તે ત્રિશલાદેવીની પહેલાં ગર્ભની અપેક્ષાએ પણ ગર્ભકાળ સાડા નવ મહિનાનું હોય છે. પ્રશ્ન ૨૮૪–સમુર્ણિમ મનુષ્યની ઉત્પત્તિનાં ચૌદ સ્થાન છે. તેમાં ચૌદમું સ્થાન-સમસ્ત અચિ સ્થાને નું છે, તે શું આ ભેદ પૂર્વનાં સ્થાનેને સંગ્રહ કરે છે, કે જુદું સ્થાન સૂચવે છે? જવાબ: તેર સ્થાને સિવાય બીજા પણ અશુચિ સ્થાન-જે મનુષ્યનાં સંસર્ગ થી હોય, તે છેલલા ભેદમાં ગણવા જોઈએ. જેમકે કેઈ મનુષ્ય રોટલીનાં ટુકડાને ચાવી ચાવીને કઈ વાસણમાં ભેગા કરે, તે તે ભિન્ન સ્થાન થયું. તેવી જ રીતે તે સ્થાનેમાંથી બે ત્રણ ચાર બેલ સામેલ કરવાથી જેની ઉત્પત્તિ થાય, તે તે આ છેલ્લા ભેદમાં ગણાય છે. પ્રશ્ન ૨૮૫ –ચારે ગતિનાં જીવ, પૂણું પર્યાયથી ૩૩૬ આવલિકામાં પર્યાપ્ત છે કે ઓછા વધારે ? જવાબ –જેની પર્યાપ્તિને કાળ સમાન પણ હોય છે અને ઓછો વધારે પણ હોય છે. જે બધા ને કાળ સમાન જ હેત, તે એક મુહૂર્તમાં ભવેની સંખ્યા ઓછી વધારે કેમ હોત? કેવી રીતે સૂફમનિગદનાં જીવ એક મુહૂર્તમાં વધારે ભવ કરે, તે. ૬૫૫૩૬ અને અસંજ્ઞી પંચેન્દ્રિય વધુ ભવ કરે તે ૨૪ જ. જે માની લેવાય કે નિગેદના જીએ તે બધા ભવ અપર્યાપ્તાવસ્થામાં કર્યા હોય તે પણ ત્રણ પર્યાતિ પૂર્ણ કરીને ચોથી પર્યાપ્તિ અધૂરી રહેતાં જ કાળ કરે છે અને અસંજ્ઞી મનુષ્ય પણ ચેથી પર્યાપ્તિ અધૂરી રહેતાં કાળ કરે છે. બંનેની પર્યાપ્તિ લગભગ સરખી હોવા છતાં પણ એકના ભવ ૬પપ૩૬ અને બીજાનાં ૨૪ જ. આથી સાબિત થાય છે કે પર્યાપ્તિ પૂર્ણ કરવાને સમય ઓછો વધારે પણ હોય છે. પ્રશ્ન ૨૮૬ –આહારક શરીરનું જે પૂતળું નીકળે છે, તે કયા પુગલેનું પરિણામ છે? જવાબ –આહારક શરીરનું જે પૂતળું બને છે, તેમાં જીવનમાં પ્રદેશ પણ રહે છે, તેથી તેને “પ્રગસા પુદ્ગલ કહેવું જોઈએ. પ્રશ્ન ૨૮૭ –અનુત્તર વિમાનની ઊંચાઈ ૧૧૦૦ જેજન છે અને દેવેની અવગાહના એક હાથની છે તથા પંચેન્દ્રિયની શ્રોત-ઇન્દ્રિયને વિષય ૧ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy