SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૧ ભાગ પહેલા સિંહાસન ઉપર બેસે છે, તે મૂળ શરીરથી જ ચઢે છે કે વિકવણું (વૈકેય) કરીને ચઢે છે? જવાબ –તેઓ મૂળરૂપથી પણ ચઢી શકે છે અને વકેયથી પણ. જ્યારે વિદ્યાધર વગેરે વિદેય વિના પણ અનેક યોજન ઉપર જઈ શકે છે, તે દેવનું તે કહેવું જ શું ? પ્રશ્ન ૨૬૧ –ભવિષ્યકાળની વીસીના છેલા તીર્થકરનું શાસન કેટલું હોય છે? જવાબ :—એક હજાર વરસ ઓછું, એક લાખ પૂર્વ સુધીનું બતાવ્યું છે. પ્રશ્ન રદર:–અકર્મભૂમિના મનુષ્યને ત્યાં કરે હોય છે? જવાબ :-તે ક્ષેત્ર કચરા વગરનું બતાવેલ છે. પ્રશ્ન રદક:-જીવાભિગમસૂત્રમાં ભરત, એરવત ક્ષેત્રના મનુષ્યની અલપાબહત્વ બતાવી છે, તે શું હમેશાને માટે સમજવી જોઈએ? જ્યારે ત્યાં પહેલો, બીજો અને ત્રીજે આરે હેય છે, તે વખતે પણ અત્યારનાં વખત જેટલી જ અપાબહત્વ હોય છે? જવાબ – ભરત રાવત ક્ષેત્રનાં મનુષ્ય તે પરસ્પર હંમેશાંને માટે લગભગ તુલ્ય છે, પરંતુ અંતરદ્વીપ વગેરે બીજા ક્ષેત્રોની સાથે જ અા બહુત્વ કરાયેલ છે, તે ભરત ઐરાવતની કર્મભૂમિની અપેક્ષાથી સમજવી જોઈએ. પ્રશ્ન ર૬૪–શીલની ૩ર ઉપમામાં ૧૪ મી ઉપમામાં સ્વર્ણકુમાર જાતિના દેવ અને ૧૫ મીમાં નાગકુમાર’ લીધા, તે પહેલાં “નાગકુમાર’ ન લેતાં “સ્વર્ણકુમાર કેમ લીધા-ઊધે કમ કેમ રાખ્યો? જવાબ:–ત્યાં કમની અપેક્ષા નથી, બધી ઉપમાઓ સ્વતંત્ર છે. જે કમની અપેક્ષા હોત, તે કેવળજ્ઞાન વગેરેની ઉપમાની પછી વન, વૃક્ષ વગેરેની ઉપમા કેવી રીતે આવત? પ્રશ્ન ૨૬૫ –બીજા ગુણસ્થાનમાં આ રીતે કહે છે કે-જીવ અનાદિકાળથી ઊંધાના સીધા થયાં, કૃણપક્ષીનાં શુકલપક્ષી થયા, તે શું જીવ પહેલું ગુણસ્થાન છેડીને બીજામાં જાય છે, કે ઉપરથી પડીને આવે છે? ગુણસ્થાનની અપેક્ષા ઊંધી--સીધી કેવી રીતે સમજવી? જવાબ :–જીવ, બીજા ગુણરથાનમાં ઉપરથી જ આવે છે, પહેલાથી નથી થતા. બીજા ગુણસ્થાનના વર્ણનમાં કહેવાય છે કે-જીવે ઊંધાના સીધા અને કૃષ્ણ પક્ષીનાં શુકલપક્ષી થયાં, પરંતુ તે ગુણ તે તેઓએ ચોથા ગુણસ્થાનમાં જ મેળવી લીધા અને તે ગુણ બીજા ગુણસ્થાનમાં પણ છે, જે આ અપેક્ષાથી કહે તો ઠીક છે. પરંતુ આમ કહેવું તે બરાબર નથી કે આ બીજા ગુણસ્થાનવાળા જવમાં તે ગુણ પહેલાં તે ન હતાં, પણ બીજા ગુણસ્થાનમાં પ્રાપ્ત થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy