SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો પ્રશ્ન ર૩૭ –કેવળી સમુદ્રઘાત થયાના કેટલા સમય પછી કેવળી ભગવાન મેક્ષમાં જાય છે? જવાબ – જોગી ભવસ્થ કેવળી અનાહારકનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તનું જ છે, એથી કેવળી સમુદ્ઘત થયા પછી અંતમુહૂર્તમાં મિશ્નમાં જાય છે, પ્રશ્ન ૨૩૮ –એ જીવ લાગલગાટ પંચેન્દ્રિયના કેટલા ભવ કરી શકે છે? કેઈ ૭-૮ અને કેઈ ૧૫ ભવ કરવાનું કહે છે, આમાં સાચી વાત શી છે? જવાબ –પંચેન્દ્રિયની કાય સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ એક હજાર સાગરથી કંઈક વધારેની છે. હજાર સાગરોપમમાં તે સેંકડો લાવ થઈ જાય છે. કેવળ પંચે. ન્દ્રિય તિર્યંચ, પંચેન્દ્રિય તિર્યંચના અથવા મનુષ્ય મનુષ્યનાં જ લાગલગાટ ભવ કરે તે આઠ ભવ કરી શકે તેથી–વધારે નહિ, ઉત્તરાધ્યયનના અ. ૧૦ માં ૭-૮ ભવ બતાવ્યા છે, તે તે કેવળ તિર્યંચ પંચેન્દ્રિયના જ સમજવા જોઈએ, કેમકે ત્યાં મનુષ્ય ભવની દુર્લભતાનું વર્ણન કરેલું છે, તેમાં દેવ અને નારકનું કથન જુદું જુદું કરેલું છે. એટલા માટે તે ૭-૮ ભવ તિર્યંચ પંચેન્દ્રિયના છે. પ્રશ્ન થઈ શકે છે કે-તે ભવ, તિર્યંચ પંચનિદ્રયના છે, તો ત્યાં ૭ અને ૮ આ બે વાતે કેમ બતાવી? તેને ખુલાસો આ છે કે–ત્યાં તિર્યંચ પંચેન્દ્રિયની મોટી કાયસ્થિતિ બતાવવાને માટે સાત ભવ લાગલગાટ કર્મભૂમિના અને આઠમે યુગલિક તિર્યંચને હેવાને સંભવ છે, નહિતર ભગવતી શ૨૪ ના ઉલેખથી તે લાગલગાટ આઠ ભવ હોય છે. જે સમુચ્ચય પંચન્દ્રિયના ઉત્કૃષ્ટ ૧૫ ભવ કહે છે, તે બરાબર ઠીક નથી, કેમકે સુમુખ ગાથાપતિ વગેરેના ૧૬ ભવ, મનુષ્ય અને દેવના સુખવિપાકમાં બતાવ્યા છે. મૃગા.. લેઢાના લગભગ ૧૮ ભવ, નાગશ્રીના ૨૭ ભવ અને ગોશાલકના ૩ર થી ઓછા (પંચેન્દ્રિયનાં) ભવ બતાવ્યા નથી. એ તે સૂત્રમાં આવેલાં વર્ણનથી સિદ્ધ છે, પરંતુ કાયસ્થિતિના હિસાબથી તે સમુ વયે પંચેન્દ્રિયના સેંકડો ભવ લાગલગાટ હોઈ શકે છે. પ્રશ્ન ર૩ –કેઈ અપર્યાપ્ત જીવ મરીને નારક અને દેવમાં જાય છે કે નહિ અને કઈ છવ નારકી અને દેવતાથી આવીને અપર્યાપ્ત અવસ્થામાં જ મરે છે કે નહિ? જવાબ –કઈ પણ અપર્યાપ્ત જીવ મરીને નરક અને દેવમાં ઉત્પન્ન નથી થતાં અને ત્યાંથી આવીને કેઈ અપર્યાપ્ત અવસ્થામાં મરતાં પણ નથી. પ્રશ્ન ૨૪૦:-મનુષ્ય અને તિર્યચ, જઘન્ય કેટલી સ્થિતિવાળા મરીને નારકી અને દેવમાં ઉત્પન્ન થઈ શકે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy