SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ] સમસમાધાન (૫) વ્રતધારી શ્રાવકના સિવાય વિદ્યાધર વગેરે પણ વિદ્યાની સાધનાને માટે કેટલું તપ કરે છે. જેમકે શખૂકે સાહસગતિએ, રાવણે “વ ઉપવાસે ખાંડ સાથે ” વગેરે રાવણની વિદ્યા સાધન વિધિ, દિગમ્બર પદ્મપુરાણમાં છે અને “ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્રમાં અનેક વિદ્યાધરની વિકટ તપસ્યાનું વર્ણન છે, તે પછી શ્રાવક ૩ ઉપવાસથી વધારે તપ કેમ ન કરી શકે ? (૬) ભગવતી સૂત્ર શ. ૭ ઉ. ૨ માં સર્વ—ઉત્તરગુણ પચ્ચક્ખાણ જે “અણગય મઈકત ” વગેરે ૧૦ ભેદ છે, તે બધાં-ઉત્તરગુણ પચ્ચખાણ તિર્યંચમાં પણ છે. આમાંથી ત્રીજે ભેદ “કેડિ સહિયં” છે, તેમાં કનકાવલી વગેરે અનેક પ્રકારનાં તપ આવ્યા છે, જ્યારે તિયચનાં પણ આ પ્રકારનાં તપ હોઈ શકે છે, તે મનુષ્ય શ્રાવકના ૩ ઉપવાસથી વધારે કેમ ન હોઈ શકે ? આમાં દસમા “અદ્ધાપચ્ચક્ખાણ છે, આ અઢા પચ્ચખાણ, નવકારસીથી માંડીને વર્ષીતપ સુધીના તપ થઈ શકે છે, તેથી શ્રાવક ૩ ઉપવાસથી વધારે તપ કરે, તે તેમાં કોઈ સૈદ્ધાંતિક વધે નથી. પ્રશ્ન ૧૯૬૪–કેઈ આમ પણ કહે છે કે, “શ્રાવકને માટે તપસ્યા ચૌવિહારપૂર્વક જ હોય છે અને કેઈએમ પણ કહે છે કે મોટી તપસ્યા ગરમ પાણીના સિવાય બીજા ધાવણ વગેરેથી ન કરવાનું ક૯પે છે. તે શું આ વાત ઠીક છે? જવાબ:–ભગવતી ૭ ઉ. ૨ તથા સ્થાનાંગ ૧૦ માં “અણાગય મઈકર્કત' વગેરે પશ્ચકખાણનાં ૧૦ ભેદ છે. તેમાંથી પ ભેદ સાગાર-આચાર સહિત છે. એટલા માટે તિવિહાર તથા આછને આગાર છે. “પરિમાણકર્ડ” માં દાત વગેરેને પરિમાણ આવ્યું, જેમાં આદિ (વગેરે) શબ્દથી છાશ, આસ, સુંધણી વગેરેને પરિમાણુ કરે, તે પણ આમાં સમાવેશ થઈ શકે છે. આગાર તથા પરિમાણ, આ બે બેલેથી પિતાના અવસરની અનુસાર શેકાતા આગાર રાખી શકાય છે. આ પ્રકારે તિવિહાર તથા ધાવણ, છાશ વગેરેના આગારથી તપસ્યા કરી શકાય છે, પણ આગાર નહિ ખોલીને સમુચ્ચય ઉપવાસ વગેરે પચ્ચક્ખાણમાં છાશ વગેરે ન લઈ શકાય. સ્વાભાવિક આગાર તે નિયમિત હોય જ છે. પણ વિશેષ આગાર ખોલવાથી જ રહી શકે છે. આગા૨ ન ખોલવા પર પણ દિવસનો તિવિહાર રહે છે અને ભકત પ્રત્યાખ્યાન સંથાર પણ ચોવિહાર તથા તિવિહાર તે બંને જાતનો થઈ શકે છે. આ વાત સમવાયાંગ ૧૭ માં ૧૭ પ્રકારનાં મરણની ટીકામાં લખી છે. આથી શ્રાવકની તિહિાર તપસ્યા થવામાં કોઈ બાદ નથી અને ગરમ પાણીનાં સિવાય ભતા આગાર રાખીને પણ તપસ્યા કરી શકાય છે. પ્રશ્ન ૧૯૭૪-ગ્રંથમાં તે શ્રાવકના ચૌવિહાર અને પૌષધ સહિત તપનું વર્ણન આવ્યું છે અને તેનાં ફળનાં વિષયમાં પ્રશ્ન થયે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy