SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) વ્યવસાય પ્રારબ્ધ ભોગવ્યા વિના જ્ઞાનીને પણ છૂટકો નથી - એ ઉક્તિ અનુસાર અંતર પરિણતિ ત્યાગ-વૈરાગ્યમય હોવા છતાં શ્રીમદ્ પ્રારબ્ધાનુસાર પ્રાપ્ત સંયોગોની મર્યાદામાં વર્તવું પડ્યું હતું, અર્થાત્ અંતરવૃત્તિ પરમાર્થ ભણી વળી હોવા છતાં તેમને વ્યાપારમાં ઝંપલાવવું પડ્યું હતું. વિ.સં. ૧૯૩૪ આસપાસ કુટુંબની આર્થિક ભીડ એટલી બધી વધી ગઈ હતી કે શ્રીમદ્ભા માતુશ્રી દેવબાને પોતાના દાગીના આદિ વેચીને કુટુંબની આબરૂ સાચવવી પડી હતી. આવી સાંકડી આર્થિક કૌટુંબિક પરિસ્થિતિમાં મોટા કુટુંબના નિર્વાહનો ભાર ઉપાડવામાં પિતાને સહાય કરવાની અનિવાર્ય ફરજ શ્રીમના માથે આવી પડી, જે તેમણે પોતાનો ધર્મ સમજી સ્વીકારી લીધી. આમ, નાની વયમાં જ અભ્યાસ છોડી દઈ તેઓ પિતાની દુકાને બેસવા માંડ્યા. શ્રીમદે વવાણિયામાં પોતાના દાદાના સમયથી ચાલ્યા આવતા વહાણવટાના અને શરાફના વ્યવસાયમાં કેટલોક સમય કામ કર્યું. કિશોરવયે પણ તેમનામાં રહેલી સમજશક્તિ તથા નિર્મળ બુદ્ધિના કારણે તેઓ ભાવમાં કે તોલ-માપમાં છેતરપિંડી કરતા નહીં. નાનપણથી જ તેમનામાં નીતિ-ન્યાયના સંસ્કાર હતા. વ્યવસાય માટે વવાણિયા ક્ષેત્ર ઘણું નાનું હતું અને આગળ વધવાનો અવકાશ પણ અલ્પ હોવાથી શ્રીમનો મુંબઈ જવાનો નિર્ણય થયો અને ત્યાં જવાનું નિમિત્ત પણ સહેજે પ્રાપ્ત થયું. અવધાનથી તેમની ખ્યાતિ એટલી બધી વધી હતી કે તેમનો અવધાનનો પ્રયોગ મુંબઈમાં ગોઠવાયો હતો. તે અર્થે તેમને મુંબઈ જવાનું નિમિત્ત મળતાં ત્યાં વ્યવસાયનો પ્રબંધ પણ ઉદ્ભવ્યો. આમ, મુખ્યત્વે આર્થિક ઉદ્દેશથી શ્રીમદ્ વિ.સં. ૧૯૪૨ના ભાદરવા માસની આસપાસ મુંબઈ પધાર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy