SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પપ કરીને નિઃશંકપણે આત્મકલ્યાણ સાધી શકે છે; સંસારમાં રહીને પણ સાધુજીવનનો આદર્શ યથાશક્ય પાળી શકાય છે એવો પ્રયોગાત્મક બોધ શ્રીમના જીવનમાં પ્રત્યક્ષ જોવા મળે છે. લૌકિક વ્યવહારમાં પણ તેમણે અસામાન્ય સમતા અને દૃઢ વૈરાગ્ય બતાવીને એક અપૂર્વ આદર્શ ઊભો કર્યો છે. તેમણે પોતાના જીવતા જાગતા જ્વલંત દાંત દ્વારા અન્ય ગૃહસ્થોને પ્રેરણારૂપ બની રહે એવો સબોધ આપ્યો છે. શ્રીમદ્ને આંતરિક અનિચ્છા હોવા છતાં લગભગ દસ વર્ષ સુધી ગૃહસ્થાવાસ ભોગવવો પડ્યો હતો. તેઓ વર્ષનો મોટો ભાગ મુંબઈમાં રહેતા અને એકાદ વખત વવાણિયા તેમનાં પત્ની પાસે જતા, ત્યાં થોડો વખત રહી ગુજરાતના ગ્રામ્યપ્રદેશમાં નિવૃત્તિ અર્થે રહેતા. તેમને બે પુત્ર અને બે પુત્રી એમ કુલ ચાર સંતાન થયાં હતાં. પ્રથમ પુત્ર શ્રી છગનભાઈનો જન્મ વિ.સં. ૧૯૪૬માં થયો હતો. શ્રીમદ્ તેમને ઘણી વખત છગન શાસ્ત્રી કહીને બોલાવતા. ઓગણીસમા વર્ષે ક્ષયનો જીવલેણ હુમલો થતાં એ જ વર્ષે, એટલે કે વિ.સં. ૧૯૬૫માં તેમનો દેહાંત થયો હતો. શ્રી છગનભાઈને પોતાના પિતા શ્રીમદ્ પ્રત્યે અત્યંત આદર હતો. શ્રી છગનભાઈના જન્મ પછી શ્રીમદ્ભાં પ્રથમ પુત્રી જવલબહેનનો જન્મ વિ.સં. ૧૯૪૮માં થયો હતો અને તેના બે વર્ષ પછી વિ.સં. ૧૯૫૦માં શ્રીમન્નાં બીજાં પુત્રી કાશીબહેનનો જન્મ થયો હતો. કાશીબહેનનું બત્રીસ વર્ષની નાની વયે અવસાન થયું હતું. વિ.સં. ૧૯૫રમાં શ્રીમદ્ભા બીજા પુત્ર શ્રી રતિલાલભાઈનો જન્મ થયો હતો. એમનું મરણ પણ નાની ઉંમરમાં થયું હતું. શ્રીમન્નાં પત્નીનું મૃત્યુ વિ.સં. ૧૯૬૯માં થયું હતું. જવલબહેનનો દેહવિલય વિ.સં. ૨૦૩૪માં થયો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy