SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ મુંબઈમાં શતાવધાનના પ્રયોગ જોઈ વડોદરાના શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરી શ્રીમદ્ પ્રતિ આકર્ષાયા અને તેમના સમાગમમાં આવ્યા. શ્રી માણેકલાલભાઈના પિતાશ્રી ઝવેરાતની પરીક્ષામાં નિષ્ણાત હતા. તેમની પાસેથી તે વિદ્યા શીખીને શ્રી માણેકલાલભાઈ મુંબઈમાં ઝવેરાતના વ્યાપારમાં જોડાયા હતા. શ્રીમદ્દે તેમની પાસેથી અલ્પ સમયમાં ઝવેરાતની પરીક્ષાનું જ્ઞાન મેળવી લીધું. શ્રીમદ્ વ્યાપારમાં જોડાવા માટે વિચારી રહ્યા હતા, તેવામાં વિ.સં. ૧૯૪૪ના પોષ માસમાં તેમને પોતાનાં લગ્ન માટે વવાણિયા જવું પડ્યું. લગ્નસંબંધ થતાં શ્રી રેવાશંકરભાઈ જગજીવન શ્રીમદ્દ્ના કાકાસસરા થયા અને ત્યારથી તેઓ શ્રીમદ્ સાથે નિકટ પરિચયમાં આવ્યા. એકાદ વર્ષ પછી તેમને ઝવેરાતના વ્યવસાયથી ઉત્કૃષ્ટ લાભ છે એવું જ્યોતિષથી જાણીને શ્રીમદે તેમને મુંબઈ જવાની પ્રેરણા કરી. તે મુજબ શ્રી રેવાશંકરભાઈ વકીલાત છોડી, વિ.સં. ૧૯૪૫ના અષાઢ માસમાં મોરબીથી મુંબઈ ગયા. શ્રીમદ્ પણ તે વર્ષના ભાદરવા માસમાં મુંબઈ ગયા અને શ્રી રેવાશંકરભાઈની સાથે ભાગીદારી કરી ઝવેરાતના ધંધામાં જોડાયા. સં. ૧૯૪૬ના ફાગણ વદ ૧૧ના દિવસે રેવાશંકર જગજીવનની કંપનીની સ્થાપના થઈ. આ પેઢીએ કમિશન એજન્સી તરીકેનો વેપાર શરૂ કર્યો. આ પેઢીમાં શ્રીમદ્, શ્રી રેવાશંકરભાઈ તથા શ્રી માણેકલાલભાઈ ભાગીદારીમાં જોડાયા હતા. શ્રીમના પુણ્યપ્રભાવે અલ્પ સમયમાં આ પેઢી નામાંકિત બની ગઈ. બે વર્ષમાં તો રંગૂન, અરબસ્તાન, ઈંગ્લૅન્ડ તથા યુરોપના દેશોના વેપારીઓ સાથે તેના વ્યાપારસંબંધો બંધાઈ ગયા હતા. વિ.સં. ૧૯૪૮થી સુરતના ઝવેરી શ્રી નગીનચંદ કપૂરચંદ તથા અમદાવાદના ઝવેરી શ્રી છોટાલાલ લલ્લુભાઈ પણ આ પેઢીમાં જોડાયા. સર્વ ભાગીદારોએ કંઈ ને કંઈ કામ જવાબદારીપૂર્વક સ્વીકારી લીધું હતું. તેમાં નાણાવિષયક અને વિલાયતના વ્યવસાયનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy