SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ શ્રીમદ્દ્ની ઘ્રાણેન્દ્રિય પણ અત્યંત તીવ્ર હતી. એક વખત શ્રીમદ્ પોતાના કાકાસસરા શ્રી રેવાશંકરભાઈ સાથે શ્રી મેઘજી થોભણને ઘરે જમવા ગયા હતા. રસોડું આશરે ૨૫ ફૂટ દૂર હતું, છતાં રસોડામાં જે જે વસ્તુઓ હતી તે માત્ર પોતાના નાકની શક્તિ વડે જાણી લીધી હતી. તે પછી તેમણે પંડિત લાલનને કહ્યું હતું કે તેઓ નાક વડે જમે છે. શ્રી લાલને આશ્ચર્યથી પૂછ્યું હતું કે શી રીતે? તો શ્રીમદે જવાબ આપ્યો હતો કે રસોડામાં રહેલી વાનગીઓ જોયા વગર તેઓ જાણી શકે છે. શ્રીમમાં સામા વ્યક્તિના મનોગત ભાવ જાણી શકે તેવું અંતર્યામીપણું પણ પ્રગટ્યું હતું. અંતરમાં જેમણે ગમન કર્યું છે એવા ખરેખરા અંતર્યામી શ્રીમને બીજાનાં અંતરપરિણામ જાણવારૂપ અંતર્યામીપણું સુલભ હતું. શ્રીમદ્ સામા વ્યક્તિના પ્રશ્નો તે પૂછે તે પહેલાં જ ઘણી વખત કહી દેતા. પૂછવા ધારીને આવેલા સર્વના પ્રશ્નનું સમાધાન તે પુછાયા પહેલાં જ ઉપદેશમાં થઈ જતું, જેના પરિણામે પ્રશ્ન પૂછવાનો રહેતો નહીં; એવો અનુભવ અનેક મુમુક્ષુઓને થયેલો. શ્રીમદ્દ્ના અંતર્યામીપણાનો મોરબીના શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાને ઘણી વાર અનુભવ થયો હતો. શ્રીમદ્દ્ની સમીપમાં જતી વખતે તેમણે કાંઈ પૂછવા ધારેલું હોય, તે ત્યાં જતાં પૂછવાની જરૂર જ ન રહે એવા પ્રકારે શ્રીમદ્ જ્ઞાનવાર્તાદિ શરૂ કરતા. જ્ઞાનવાર્તા પૂરી થઈ રહ્યું, શ્રીમદ્ પૂછતા કે કેમ મનસુખ, કાંઈ પૂછવું છે? પરંતુ પૂછવાનું હોય તેના ખુલાસા તો વાર્તાલાપમાં આવી ગયા હોવાથી પૂછવાપણું કાંઈ બાકી રહેતું નહીં. આવું વખતોવખત બનતું. વિ.સં. ૧૯૫૫ના ચૈત્ર માસમાં એક દિવસ બપોરે કૉલેજમાં રજાનો દિવસ હોવાથી શ્રી મનસુખભાઈ બહાર ફરવા ગયા હતા. રસ્તામાં સહજ કુતૂહલભાવે તેમને વિચાર આવ્યો કે અમુક જ પર્વતિથિ શા માટે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy