SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ બીજ, પાંચમ, આઠમ, ચૌદશ એમ તિથિને બદલે, ધર્મપર્વના દિવસને બદલે ચોથ કે છઠ, સાતમ કે નોમ, કે તેરશ ઇત્યાદિ હોય તો શું ખોટું? તેમને આવો એક વિકલ્પ ઊભો થયો. ત્યારપછી જ્યારે તેમને શ્રીમદ્ પાસે જવાનું થયું ત્યારે કોઈ પણ પ્રસંગ બન્યા વિના શ્રીમદે શરૂઆતમાં વચન પ્રકાશ્યા કે મનસુખ, તિથિ પાળવી. આમ, શ્રી મનસુખભાઈના મનમાં તિથિ અંગે વિકલ્પતરંગ ઊઠ્યો હતો, તે શ્રીમન્ના નિર્મળ જ્ઞાનદર્પણમાં પ્રતિબિંબિત થયો હતો. બોટાદના શ્રી મણિલાલ ગાંધીએ શ્રીમદ્ અંતર્યામીપણા વિષેના પોતાના અનુભવો પોતાની સ્મૃતિનોંધમાં આલેખ્યા છે. વિ.સં. ૧૯૫૧માં શ્રીમદ્ હડમતાલા પધાર્યા ત્યારે શ્રી મણિલાલભાઈ શ્રીમન્ના દર્શન-સમાગમ અર્થે હડમતાલા ગયા હતા. ત્યાં ઉતારા ઉપર બાજુના ઓરડામાં શ્રીમદ્, શ્રી સૌભાગ્યભાઈ, શ્રી ડુંગરસીભાઈ વગેરે જમવા બેઠા હતા. જગ્યા ન હોવાથી શ્રી મણિલાલભાઈ બેઠા નહીં. રસોઈ પિરસાઈ ગઈ પણ તેમને મનમાં ઇચ્છા થતી હતી કે શ્રીમદ્ સાથે બેસીને જમવાનું થાય તો બહુ આનંદ આવે. શ્રીમદ અન્ય મુમુક્ષુઓને કહ્યું કે મણિલાલનું મન બહાર બેઠાં બેઠાં બહુ આતુર થાય છે, સાથે બેસી જમવા ઇચ્છા કરે છે, માટે એને અહીં બેસાડવાની જગ્યા કરો. તરત એક ભાઈ શ્રી મણિલાલભાઈને અંદર જમવા તેડી આવ્યા. જમતાં જમતાં તેમના મનમાં વળી ઇચ્છા ઊઠી કે શ્રીમદ્ આગ્રહ કરી એક-બે રોટલી વધુ મુકાવે તો આનંદ થાય. શ્રીમદે એક ભાઈને કહ્યું કે રોટલી લાવો અને મણિલાલને પીરસો. સાથે ઘી અને સાકર પણ ખૂબ આપો. આ પ્રમાણે શ્રી મણિલાલભાઈનો પોતાની સાથે બેસીને જમવાનો મનોગત ભાવ જાણી વાત્સલ્યમૂર્તિ શ્રીમદે તે પૂર્ણ કર્યો. તદુપરાંત મોરબીના શ્રી છોટાલાલ રેવાશંકર અંજારિયા પોતાનાં સંસ્મરણોમાં લખે છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy