SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ અને છોડતાં પણ વાર ન લાગી. આત્માવિકાસની ઉચ્ચ કક્ષાએ પહોંચેલા પુરુષ જ કરી શકે તેવું આ આચરણ છે. (iii) ચમત્કારિક લબ્ધિઓ નિર્મળ અંતઃકરણના ફળરૂપે શ્રીમમાં વિધવિધ લબ્ધિઓનો આવિર્ભાવ થયો હતો. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઊપજેલા અતીન્દ્રિય જ્ઞાનના ચમત્કાર તેમના જીવનમાં લઘુવયથી જ દેખાવા માંડ્યા હતા, જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા જતા હતા. તેમના જીવનમાં બનેલા કેટલાક પ્રસંગો ઉપરથી તથા તેમનાં લખાણ ઉપરથી દૃઢતાપૂર્વક માની શકાય છે કે તેમને રૂપી પદાર્થનું ઉપયોગપૂર્વક થતું અમુક હદ સુધીનું અવિધજ્ઞાન પ્રગટ્યું હતું. તદુપરાંત અનેક પ્રકારની લબ્ધિઓ પણ પ્રગટી હતી. જ્ઞાનની પારદર્શિતાને કારણે તેઓ ભવિષ્યમાં બનનારા પ્રસંગો અગાઉથી જાણી શકતા હતા તથા સામી વ્યક્તિના મનમાં શું ચાલે છે એ પણ જાણી શકતા હતા. તેમણે કોઈકનાં આગમનની કે અવસાનની કરેલી આગાહીના કે અનિષ્ટને અટકાવવા ગર્ભિત સ્વરૂપે આપેલી ચેતવણીના અનેક પ્રસંગો નોંધાયા છે. શ્રીમદ્ લગભગ તેર વર્ષના હતા ત્યારે તેમના મામાને ત્યાં રાજકોટ ગયેલા, ત્યારે શ્રી હેમરાજભાઈ અને શ્રી માલસીભાઈ નામના બે કચ્છી ભાઈઓ ‘શ્રીમદ્દ્ન કાશી ભણાવવા લઈ જઈએ' એવી શુભ ભાવનાથી શ્રીમદ્ને મળવા રાજકોટ આવી રહ્યા હતા. તે અંગે શ્રીમને કંઈ પણ સમાચાર મોકલવામાં આવ્યા ન હતા. શ્રીમદ્દ્ના નિર્મળ જ્ઞાનમાં જણાયું કે બે કચ્છી ભાઈઓ સાંઢણી ઉપર સવાર થઈને લાંબો પંથ કાપતાં કાપતાં તેમને મળવા માટે આવે છે. તેથી તેમણે તેમના ઉતારાની વ્યવસ્થા શ્રી ધારશીભાઈને ત્યાં કરાવી, એટલું જ નહીં પણ તેઓ તે ભાઈઓના આવવાના માર્ગ તરફ સામા ગયા અને તેઓ નજીક આવતાં, કદી ન જોયેલા કે કદી ન જાણેલા એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy