SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ઉપરથી ગણતરી કરીને ફ્લાદેશ અર્થાત્ ભવિષ્યમાં બનનાર પ્રસંગોની આગાહી કરવામાં આવે છે. જેટલો તે શાસ્ત્રનાં ગણિતનો અને ફ્લશ્રુતિનો અભ્યાસ યથાર્થ અને ચોક્કસાઈભર્યો, તેટલો ફ્લાદેશ સત્ય આવે છે. આ જ્યોતિષવિજ્ઞાનમાં પણ સહજ નિમિત્ત મળતાં શ્રીમદ્ શીઘ્ર આગળ વધી ગયા. વિ.સં. ૧૯૪૨ના આસો માસમાં શ્રીમદ્ અવધાનપ્રયોગાર્થે મુંબઈ જતાં પહેલાં મોરબી તાબાના જેતપર ગામમાં પોતાના બનેવી શ્રી ચત્રભુજ બેચરને ત્યાં ગયા હતા. તે વખતે શ્રીમદ્દ્ની આર્થિક સ્થિતિ સાંકડી હતી. મુંબઈ જવામાં આર્થિક લાભનો ઉદ્દેશ પણ હતો. જેતપરમાં શ્રી શંકર પંચોળી નામના એક પ્રખ્યાત અને વિદ્વાન જ્યોતિષી હતા. તેઓ ગણિત-ફલાદેશના સારા જાણકાર હતા. તેમને શ્રી ચત્રભુજ બેચરે શ્રીમના મુંબઈગમન તથા અર્થપ્રાપ્તિના સંબંધમાં પૂછ્યું. શ્રી શંકર પંચોળીએ પ્રશ્નકુંડળી ચીતરીને લાદેશ જણાવતાં કહ્યું કે મુંબઈ પ્રયાણ થશે અને અમુક મુદતમાં સારો દ્રવ્યલાભ થશે. શ્રીમદ્દ્ન મુંબઈગમન તો થયું, પણ આપેલ મુદતમાં જણાવેલો દ્રવ્યલાભ ન થયો, અર્થાત્ શ્રી શંકર પંચોળીએ ભાખેલ ભવિષ્ય સંપૂર્ણ સત્ય ન નીવડ્યું. જ્યોતિષશાસ્ત્રનો યથાર્થ અભ્યાસ હોય તો તેનો ફ્લાદેશ યથાર્થ થવો જોઈએ, તો પછી શ્રી શંકર પંચોળીનો અમુક ફ્લાદેશ ળ્યો, અમુક ન છ્યો તેનું શું કારણ? આવા કુતૂહલથી શ્રીમદ્ને સંપૂર્ણપણે સત્ય ફ્લાદેશ આવે તેવી કક્ષાની જ્યોતિષવિદ્યા શીખવાની વૃત્તિ ઉદ્ભવી. આમ, જ્યોતિષનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરણા માટેનું નિમિત્ત શ્રીમને મળ્યું. મુંબઈમાં શ્રીમા શતાવધાનના પ્રયોગ વખતે સભાસ્થાનમાં અનેક વિદ્વાનો, પંડિતો, શ્રીમાનો ઉપસ્થિત હતા. તેમાં ઉચ્ચ કક્ષાના જ્યોતિષીઓ પણ હતા, જેઓ ચમત્કારિક અવધાનશક્તિ જોઈને લઘુવયના પ્રબળ પ્રતિભાસંપન્ન શ્રીમદ્ પ્રત્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy