SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ચિત્તે અવધાન તથા શીઘ્ર કવિતાનું કામ શરૂ કર્યું. જુદી જુદી ભાષાનાં વાક્યો લખનાર ગૃહસ્થો આડાઅવળા છૂટક શબ્દો કહેતા જતા હતા. શ્રીમદ્, તે યાદ રાખતા અને તે અરસામાં કવિતા પણ જોડતા અને એકેક લીટી લખાવતા. જુદી જુદી ભાષાના શબ્દો બોલનાર જો કોઈ ભૂલ કરે તો તરત જ તેણે ભૂલ કરી છે એવું તેઓ કહી આપતા. સઘળા શબ્દો પૂરા થતાં તેઓ, બરાબર કાગળમાં લખ્યાં હતાં તે જ પ્રમાણે, કાંઈ પણ ભૂલચૂક વિના આખાં વાક્યો બોલી ગયા અને તેમણે રચેલી કવિતા પણ વાંચી સંભળાવી, જેમાં સભાનું વર્ણન અને રૂચી લોક સમસ્તની મન સજી વિદ્યાવિલાસે ગઈ એ લીટીમાં 'રુસ્તમજી' નામ ગૂંથી લેવામાં આવ્યું હતું. અંતે મિ. રુસ્તમજી અરદેશર માસ્તરે મંડળી તરફથી શ્રીમને ફૂલોનો હાર અને ગોટો ભેટ આપ્યાં હતાં. ત્યારપછી શ્રીમદે ઓગણીસ વર્ષની વયે મુંબઈમાં તા. ૨૨-૧-૧૮૮૭, શનિવારે અંગ્રેજ ડૉ. પીટરસનના પ્રમુખપદ હેઠળ જાહેરમાં, ફરામજી કાવસજી ઈન્સ્ટિટ્યૂટમાં સમાજનાં જુદાં જુદાં ક્ષેત્રોના અગ્રગણ્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સો અવધાન કરીને લોકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. પ્રેક્ષક મંડળીએ તેમને સિંધી, અંગ્રેજી, તેલંગુ, કાનડી, મરાઠી, સંસ્કૃત, જર્મન, ફારસી, ફ્રેંચ, પોર્ટુગીઝ એ દસ ભાષાનાં, છ છ શબ્દનાં દસ વાક્યો ઉત્તરોત્તર આડાંઅવળાં કહી બતાવેલાં. શ્રીમદે તેને સ્મરણમાં રાખી, તાળીઓના ગડગડાટ વચ્ચે તે વાક્યો સક્રમ અને સંપૂર્ણપણે કહી સંભળાવી તથા વિધાનવિધિ વચ્ચે રચેલી કવિતા સંભળાવી સર્વ કોઈને આનંદાશ્ચર્ય પમાડ્યાં હતાં. અવધાન ઉપરાંત તેઓ અલૌકિક સ્પર્શેન્દ્રિય શક્તિ ધરાવતા જોવામાં આવ્યા હતા. તેમને પ્રથમ એક ડઝન જેટલાં જુદાં જુદાં કદનાં પુસ્તકો બતાવવામાં આવ્યાં હતાં અને તેમને તે પુસ્તકોનાં નામ જણાવવામાં આવ્યાં હતાં. ત્યારપછી તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy