SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સુધી કર્યાં કરવું; કંઇ લખવું નહીં કે બીજી વાર પૂછવું નહીં, પરંતુ સઘળું સ્મરણમાં રાખી આ બાવન કામ પૂર્ણ કરવાં. શ્રીમદ્દ્ની આ શક્તિ જોઈને એક વિદ્વાને ગણતરી કરી હતી કે તેમને એક કલાકમાં ૫૦૦ શ્લોક સ્મરણમાં રહી શકે છે. આ અરસામાં તેમની સ્મરણશક્તિ ઉત્કૃષ્ટ સીમાએ પહોંચી હતી. તેમનો વિદ્યાભ્યાસ તો ફક્ત ગુજરાતી ભાષામાં જ થયો હતો, છતાં કોઈ પણ માણસ ગમે તે ભાષાનાં શબ્દો, કવિતા કે શ્લોક ગમે તેટલી ઝડપથી તેમની સમક્ષ બોલે તોપણ પાછા તે જ શબ્દો, કવિતા કે શ્લોક તરત જ આબેહૂબ તે જ ક્રમમાં તેઓ બોલી બતાવતા. કોઈ ગમે તે ભાષાના સો શ્લોક એક વખત બોલી જાય તો તે પાછા તેવી જ રીતે સ્મૃતિમાં રાખી બોલવા શ્રીમદ્ સમર્થ હતા. તેઓ દેશની બીજી ભાષાઓ તેમજ પરદેશની કોઈ પણ ભાષાનો ઉચ્ચાર બરાબર કરતા. આ ઉપરાંત જેતપર, અમદાવાદ આદિ સ્થળોએ અને વિ.સં. ૧૯૪૩માં મુંબઈમાં તેમણે અવધાનના પ્રયોગો બહોળા પ્રમાણમાં કર્યા હતા. મુંબઈમાં થિયોસૉફિકલ સોસાયટીના મકાનમાં યોજાયેલ સભામાં પોતાની સ્મરણશક્તિ અને કવિત્વશક્તિની કસોટી માટે શ્રીમદે અંગ્રેજી, સ્પેનિશ, જર્મન, ફ્રેંચ, લૅટિન, ઝંદ, સંસ્કૃત, બંગાળી અને ફારસી એમ નવ ભાષાના જુદા જુદા જાણકારોને કાગળના એક ટુકડા ઉપર છ શબ્દોનું એક એક વાક્ય લખવાનું કહ્યું હતું. પછી તેમણે તે તે વ્યક્તિઓને પોતાનાં વાક્યોના શબ્દો ગમે તે ક્રમમાં આડાઅવળા બોલવા કહ્યું અને જણાવ્યું કે તેઓ તે જુદી જુદી ભાષાના શબ્દો લક્ષમાં લઈ, અંતે કાગળ ઉપર લખ્યા મુજબનાં વાક્યોના શબ્દો ક્રમબદ્ધ કહી સંભળાવશે અને તે દરમ્યાન જુદા જુદા રાગની બે કવિતા રચશે. સભાના એક ગૃહસ્થે માંગણી કરી કે કવિતામાં ‘રુસ્તમજી' નામ તથા સભાનું વર્ણન આવે એવું કરશો. શ્રીમદે તે વિનંતી સ્વીકારી. તે પછી શ્રીમદે સ્થિર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy