SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ આંખો પાટા વડે બંધ કરવામાં આવી હતી અને જુદા જ ક્રમમાં એક પછી એક પુસ્તકો તેમના હાથમાં મૂકવામાં આવ્યાં હતાં. જેમ જેમ પુસ્તકો હાથમાં મૂકાતાં ગયાં, તેમ તેમ તે પુસ્તકોનો માત્ર સ્પર્શ કરીને તેમણે તેનાં નામ કહી દીધાં હતાં. આ જોઈને ડૉ. પીટરસનને ખૂબ અચરજ થયું હતું અને તેમણે શ્રીમને ચમત્કારિક સ્મરણશક્તિથી વિભૂષિત થવા માટે અભિનંદન આપ્યાં હતાં. આ આશ્ચર્યકારક સ્મરણશક્તિના પ્રયોગની સફળતા માટે શ્રીમદ્ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો અને તેમને સાક્ષાત્ સરસ્વતીનું માનવંતું બિરુદ પણ પ્રદાન કરવામાં આવ્યું હતું. તેમની આ વિરલ શક્તિની ઠેર ઠેર ખૂબ પ્રશંસા થવા લાગી હતી અને તેઓ શતાવધાની' તરીકે પ્રખ્યાત બન્યા હતા. આમ, ક્રમે ક્રમે વધતાં જઈ શ્રીમદ્ ટૂંક સમયમાં આઠ, બાર, સોળ, બાવન અને સો અવધાન સુધી પહોંચ્યા અને તેમણે ઉત્તમ ક્ષયોપશમજ્ઞાનના પ્રયોગો કરી વિજયવાવટો ફરકાવ્યો. બીજા અવધાનીઓને જે શક્તિ પ્રાપ્ત કરવા અને વિકસાવવા અત્યંત પ્રયાસ કરવા પડે, તે શક્તિનો વિકાસ શ્રીમમાં સહજ અને સ્વયંસ્કુરિત થયેલો જોવા મળે છે. તેમની અદ્ભુત શક્તિ વિષે “મુંબઈ સમાચાર', “જામે જમશેદ', ગુજરાતી ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા', 'ઈડિયન સ્પેક્ટટર' ઇત્યાદિ અગ્રગણ્ય પ્રતિષ્ઠિત ગુજરાતી અને અંગ્રેજી વર્તમાનપત્રોમાં પ્રશસ્તિપૂર્ણ વિસ્તૃત વર્ણનો અને અગલેખો આવતા. શ્રીમન્ના અવધાનપ્રયોગોની ઐતિહાસિક હકીકત શ્રીમદ્ભા સમકાલીન અને તે વખતના સહવાસી શ્રી વનેચંદ પોપટભાઈ દફતરીએ “સાક્ષાત્ સરસ્વતી' નામની પુસ્તિકામાં પૂર્ણ ભાવોલ્લાસમાં લખી હતી. સન્ ૧૮૯૩ના સપ્ટેમ્બર માસમાં અમેરિકાના ૧- આવો એક અવધાનપ્રયોગ તેમણે મુંબઈમાં આર્યસમાજના હોલમાં જસ્ટિસ તેલંગના પ્રમુખપણા હેઠળ પણ કર્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy