SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તેઓ બીજે દિવસે શાળાએ ન ગયા. બાળ રાયચંદ નિશાળે આવ્યા નથી એમ બીજા વિદ્યાર્થીઓના જાણવામાં આવતાં તેઓ બાળ રાયચંદ પાસે ગયા અને તેમની સાથે દૂર ખેતરમાં ચાલ્યા ગયા. આ બાજુ શિક્ષક જ્યારે શાળામાં આવ્યા ત્યારે તેમણે એક પણ વિદ્યાર્થી ન જોયો. તેમની જાણમાં આવ્યું કે ગઈ કાલે બાળ રાયચંદને ઠપકો આપ્યો હતો તેનું આ પરિણામ હતું. પછી વિદ્યાર્થીઓને શોધતાં શોધતાં તેઓ ખેતર સુધી ગયા અને બાળ રાયચંદને મનાવી શાળામાં પાછા લઈ આવ્યા. હોંશિયાર હોવાના કારણે બાળ રાયચંદ શિક્ષકના પરમ વિશ્વાસુ તરીકે અન્ય વિદ્યાર્થીઓનું વર્ગકામ લેતા અને એ રીતે વર્ગશિક્ષકનું કાર્ય પણ કરતા. તેમનામાં સ્વાભાવિક રીતે રહેલાં નિખાલસતા, ભદ્રિકતા, સરળતા, વિશ્વસનીયતા, બોલવાની પ્રભાવશાળી છટા, શીખવવાની અદ્ભુત કળા આદિ ગુણોથી તેઓ સહાધ્યાયીઓમાં ખૂબ માનીતા થયા હતા. શ્રીમતું વાંચન ખૂબ વિશાળ હતું. નાનપણથી જ તેમને વિદ્યા પ્રાપ્ત કરવાની અને નવું નવું સમજવાની, સાંભળવાની, વાંચવાની, શીખવાની ખૂબ જ જિજ્ઞાસા રહેતી હતી. તેઓ જે પુસ્તક હાથમાં આવે તે ઝડપથી વાંચી જતા હતા અને તેનો બોધ સ્મૃતિમાં મહી લેતા હતા. પાઠ્યપુસ્તક ઉપરાંત તેમણે કેટલાક કાવ્યગ્રંથો અને વિવિધ પ્રકારના બોધગ્રંથો વાંચ્યા હતા. તેઓ તેર વર્ષની વયે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરવા રાજકોટ ગયા હતા, પરંતુ તેમણે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કેટલો વખત અને કઈ કક્ષાનો કર્યો હતો તેની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. તેઓ અંગ્રેજી ભાષાનું સામાન્ય વાંચનલેખન કરી શકતા હતા. તેમનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઉપર પણ સારો કાબૂ હતો અને તે ભાષાના ગ્રંથો તેઓ સરળતાથી વાંચી-સમજી શકતા હતા. તીવ્ર સમજણશક્તિ અને પ્રખર સ્મરણશક્તિ હોવા છતાં વૈરાગ્યવૃત્તિના કારણે તેમણે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy